________________ 226 મહર્ષિ મેતારજ અંદરથી ઉતાવળ અવાજ આવ્યો. “વિરૂપા મરી ગઈ!” “બિચારી દુખિયારી ! છૂટી !" દાસીઓ એકબીજાને કહેવા લાગી. “કોણ મર્યું ? વિરૂપા?” મેતાર્ય અંદરના ખંડમાં જ બોલ્યો. “વિરૂપ ન મરે! મને કહ્યા સિવાય એ ન મરે !" માતંગ મૂઢની જેમ બોલતે લતે મેતાર્યની પાછળ ચાલ્યો. “શું વિરૂપા મરી ગઈ ?" મહામહેનતે ભાનમાં આવેલાં શેઠાણું આટલું બેલી પુનઃ બેભાન બની ગયાં. આ વખતે એમને દેહ વિશેષ ઠંડો પડતો ચાલ્યો હતે. હાય, હાય ! ન જાણે આજે કેવો દિવસ ઊગે છે. મારું તે સર્વસ્વ જવા બેઠું છે.” ધનદત્ત શેઠે કપાળ કૂટયું. રાજવૈદ ત્યાં ઉપસ્થિત જ હતા. ઉપચારો ચાલુ કર્યા, પણ દર્દી કંઈ અનોખું હતું. ઠંડુ પડતું જતું શરીર અને માત્રાઓના અનુપાન પછી પણ ઉષ્મા પકડી શકતું નહોતું. અંદરના ખંડમાં વિરૂપા એક સાદા બિછાના પર સદાને માટે સુખની નિદ્રામાં સૂઈ ગઈ હતી. એના મુખ પર વ્યથા કે વિકૃતિના બદલે સૌમ્યતા છવાઈ રહી હતી. મહા ધમાં પિઢી હોય એમ એ સૂતી હતી. “વી’ વજ છાતીને માતંગ ઢીલું પડી ગયો. એણે એક કરણ ચીસ પાડી, પણ એ ન આગળ વધી શક્યો કે ન ઊભો રહી શક્યો. કંઈ વિચારમાં ચડી ગયો. એના હોઠ વગર અવાજે ફફડવા લાગ્યા. એની સૂકી આંખના ડોળા ચારે તરફ ઘૂમવા લાગ્યા. એ