________________ 224 મહષિ મેતરાજ ઉચ્ચ, નીચ આ બધાં બંધને કેવાં જુઠાં છે, એ આજને પ્રસંગ બતાવી આપે છે. જનેતાઓનાં જે હદયો આજે જોવા મળ્યાં, એ બન્ને હદયના પુત્ર થવામાં મારું સૌભાગ્ય છે, પણ જન્મને આટલું મહત્ત્વ શા માટે !" મેતાર્ય થોડીવાર થોભ્યા. આખી સભા સ્વાસ બંધ કરીને બેઠી હોય તેવી શાન્ત હતી. મેતાર્યો આગળ ચલાવ્યું. “પ્રજાજને, હું જાણું છું, કે તમને આવી વાતમાં રસ નહિ આવે. મારે તે તમને મારું વૃત્તાંત જણાવવું ઘટે. અને એ પૂરતું હું જણાવું છું કે હું મેતને પુત્ર છું. મારી જનેતા વિરૂપા અને મારો જનક મંત્રસિદ્ધોને રાજા માતંગ. મારી જનેતા અને ધનદત્ત શેઠનાં પત્નીને સખીપણાં હતાં. ધનદત્ત શેઠને આ પત્નીથી કોઈ સંતાન જીવતાં નહોતાં; અને હવે સંતાન–અને તે પણ પુત્ર ન જન્મે કે ન જીવે તે બીજા લગ્ન કરવાની તૈયારી હતી. " મેતાર્ય ક્ષણવાર થે, ને પુનઃ કંઈક ગર્વ મિશ્રિત સ્વરે બોલવા માંડયું જગતમાં જેની જોડ ન મળે એવી આ સહિયરેએ એક દહાડે વાતવાતમાં આ બીના ચર્ચા. મારી જનેતાએ પણ આપ્યું કે પિતાને પુત્ર થશે તો તે તેને આપશે. આ સેદ નહોત, વેચાણ નહોતું; આત્મસમર્પણ હતું !" આત્મસમર્પણ?” મેદનીમાંથી પડઘો પડ્યો. હા, આત્મસમર્પણ! મારી જનેતાના દાંપત્યને પણ વર્ષો વીત્યાં હતાં, સંતાનની લાલસા એને હૈયે પણ હતી, છતાં સહિયરના સુખદુઃખમાં એ સુખદુઃખ માનતી હતી. એક રાતે એ સમર્પણ થયું. પુત્ર આપ્યો ને પુત્રી એને ઘેર ગઈ. માતાને રેગીઝ પેટની પુત્રી વધુ વખત ન આવી. નીરોગી કાયાનું સંતાન તે હું. પણ મારી તે