________________ પ્રેમની વેદી પર 22 બને જનેતાઓ! બન્ને મારા પિતાએ. મારે મન કેઈ કુળ હલકું કે હીણું નથી, છતાં પહેલો હું મેત ! વિરૂપા મારી જનેતા! હું મેતાર્ય નહિ પણ મેતારજ !" આખી મેદની હજી ય મંત્રવત સ્તબ્ધ હતી. કેટલાયની આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં હતાં. મગધરાજે ગળગળે અવાજે હુકમ કર્યો વિરૂપાને અહીં તેડાવો !" રાજસેવક અંદર જઈ થોડીવારમાં પાછો આવ્યો, એણે કહ્યું: મહારાજ, વિરૂપા હવે આ સંસારમાં નથી. એનું ચિંતા ને મમતાથી જર્જરિત હૈયું પિતાની સહિયર અને પુત્રની આ નાલેશી ન સહી શકયું; એટલે ભાંગી પડ્યું. રાજવૈદ્યોનો આ અભિપ્રાય છે.” “માતંગને બેલાવો !" માતંગની શોધખોળ ચાલી, પણ એ ન જાણે કયા ઊંડા વિચારની ગર્તામાં સરી પડયો હતો, એને પોતાના લાગણીવેડાના ગંભીર પરિણામનું જોખમ માલૂમ પડી રહ્યું હતું. મેતાર્ય ક્યાં?” મેતાર્યું પણ ત્યાં નહોતે. મગધરાજ અંદર અંતઃપુરમાં જવા પીઠ ફેરવતા હતા કે કઈ રૂપેરી ઘંટડી જેવો અવાજ સંભળાયો. મહારાજ, અમે મેતપુત્રને નહિ પરણીએ.” અને એવા અનુક્રમે સાત અવાજ આવ્યા. પૂર્ણચંદ્રના જેવા મુખવાળી સાતે રમણીઓના સુંદર કપલપ્રદેશ ઉપર સ્વાતિના બિંદુ જેવાં બબે ચાર ચાર આંસુએ દીપકના પ્રકાશમાં મોતી જેવાં ઝળહળી રહ્યાં હતાં.