________________ પ્રેમની વેદી પર 223 વિલંબ ઘણે થયે છે. વાત ટૂંકી છે. પ્રભુવીરના ઉપદેશને સાંભળનારાને હવે કુળ-જાતિમાં મહત્તા નહિ લાગે. જે પુણ્ય કરે તે પુણ્યવિાન, પણ ફેંસલા તરીકે મારે નિવેડો આણવો જોઈએ કે મારા પરમ મિત્ર અને અનેક ગુણોથી અલંકૃત મેતાર્ય વણિકપુત્ર નથી, પણ મેતના સંતાન છે. શેઠાણીને પુત્ર ન જીવતા હોવાથી વિરૂપાએ શેઠાણીને મેતાર્ય વેચેલા !" “વેચેલા ? ધિક્કાર હજો એ જનેતાને ! આખરે ગમે તેટલા માથે ચઢાવો તો ય મેત તે મેત ! '" અર્ધપચ્યું તત્ત્વજ્ઞાન અદ્રશ્ય થઈ ગયું ને લેકેની જીભ જાતિ–કુળના ગુણ-અવગુણની ચર્ચા કરવા લાગી ગઈ પણ એટલામાં અંદરથી ખબર આવ્યા, “મહારાજ, મેત પત્ની વિરૂપા બેભાન બની છે. એ લાવી રહી છે, કે મેં વેચેલા નથી, મારી ઈજ્જતને બદનામ ન કરે. એ મારો પુત્ર જ નથી.” “કેમ વેચેલા નથી ? શેઠાણી પિતે કહે છે કે મેં સે કર્યો હતો?મહામંત્રી પિતાના અભિપ્રાયને મજબુત પણે વળગી રહી દલીલ કરવા લાગ્યા. ત્યાં તો બધી લાજ–મરજાદ છેડી શેઠાણી બહાર ધસી આવ્યાં. પરંતુ એ કાંઈ બોલે તે પહેલાં બેભાન બની ગયાં. આખી મેદનીમાં શનકાર છવાઈ ગયો. બાજુમાં બેઠેલ અલંકાર ને વસ્ત્રોથી સુશોભિત મેતાર્ય ધીરેથી ઊભા થયા. હાથ જોડીને મગધરાજને વિનંતી કરી કે મને થોડું નિવેદન કરવાની આજ્ઞા આપે ! મગધરાજે ઈશારાથી આજ્ઞા આપી. મેતાર્યો માથું ટટ્ટાર કરી પ્રજા સમક્ષ જોઈ બોલવા માંડ્યું પ્રજાજને, મહામંત્રી જેવા મહામંત્રી આજે વિગત શોધવામાં ભૂલ્યા છે. આજને આખો પ્રસંગ જગતની બે મહાન જનેતાઓના હદય ઔદાર્યને છે. જાતિ, કુળ,