________________ 220 મહર્ષિ મેતારજ wwwwww પતિનું આવું અપમાન થતું જોઈ લાલ હીંગળાકિયાં જેવાં બની ગયાં હતાં. એમના નાના નાના અધરોમાંથી ક્રોધનો મર્મર વનિ નીકળતા હતું, અને કામદેવની કામઠી જેવી ભ્રકુટિ વારે વારે ખેંચાતી ને સંકોચાતી હતી. અદલ ઈન્સાફી મગધરાજે કેટલાય ફેંસલા ચુકવ્યા હતા. કઈ વાર મોટી ગુંચવણ પડતાં મહામંત્રી અભયની બુદ્ધિએ સાચા ન્યાય માટે મહેનત કરવામાં કંઈ કમીના રાખી નહોતી, પણ આજ તો મહારાજ અને મંત્રી બન્ને વિમાસણમાં પડી ગયા. ધનદત્ત શેઠ તે આ બધી વસ્તુને કઈ ષડયંત્ર અને ક્રુર મશ્કરી સમ લખતા હતા. એમને માટે તો પ્રત્યેક ક્ષણ એક જુગ જુગ જેવડી હતી. ગળા સુધી ક્રોધ આવીને ઊભો હતે. શું કરી નાખું; એવો પડઘો પડી રહ્યો હતો, પણ સત્તા પાસે શાણપણ જાળવવામાં જ મજા હતી. દશેક ક્ષણ કિંકર્તવ્યમૂઢ જેવી પસાર થઈ ગઈ. આખરે મહામંત્રીએ જાહેર કર્યું - “મગધના સિંહાસન પાસે ન્યાય માગવાને સહુને સરખે હક છે. વરઘોડે થોડીવાર થોભશે. પુત્ર કેને, એની સાચી જાણ માતા સિવાય બીજાને કેઈને ન હેય. બેલવો માતંગની પત્નીને અને મેતાર્યનાં માતાજીને !"