________________ રંગમાં ભંગ 219 “ના મહારાજ, ન્યાય પહેલાં ને પછી બીજું. મારો–ગરીબ સેવકનો દાવો છે, કે મેતાર્ય મારું સંતાન છે.” માતંગે વચ્ચે કહ્યું: અને એ દાવો બેટે કરશે તે તેની શિક્ષા જાણે છે ?" મહામંત્રીને અવાજ ગૂંજ્યો. મગધના સાચા ઈન્સાફ પર માતંગને શ્રદ્ધા છે. એની યોગ્ય શિક્ષા માટે તૈયાર જ છું.” માતંગ અત્યંત આવેશમાં હતા. મગધના સિંહાસન પાસે ન્યાય મેળવવાને ગરીબને હક માર્યો ન જાય, જે જે! મંત્રીરાજ !" મેતાર્યો વચ્ચે ધીરેથી કહ્યું: ધનદત્ત શ્રેષ્ટિ ક્રોધમાં ને ક્રોધમાં કંઈ બેલી શકતા નહતા. મેતાર્ય સ્વસ્થ ચિત્તે બેઠા હતા. એમને કઈ હર્ષ કે શેક જાણે સ્પર્યો નહોતો. આખું નગરલોક ઊંચું ઊંચું થઈ ને નીરખી રહ્યું હતું કે મગધરાજ ભયંકરમાં ભયંકર શિક્ષાની આજ્ઞા આપશે. હમણાં મહામંત્રી અભય માતંગને ગરદન મારશે. પણ મગધને નાથ એમ ન્યાયને કચડી સંબંધ સાંધવાનું શીખ્યો નહોતે. આવા જ પ્રસંગે એ સોળે કળાએ ખીલી નીકળત. એ વેળા પ્રજા જોતી કે ન્યાયપુર:સરને કઈ પણ દાવો જીતવામાં રાય કે રંક, અમીર કે ગરીબને ભેદ આડા ન આવત. આખો ય વરઘોડો નિઃશબ્દ ઊભો હતે. આટલી જબર માનવમેદનીના શ્વાસોશ્વાસને ય જાણે પડઘો પડતો હોય એમ લાગતું હતું. માતંગને અડગ નિર્ણય સાંભળી બધા મનમાં કંઈ ને કંઈ કુતૂહલ ક૯પી રહ્યા. પાલખીમાં બેઠેલી નવોઢાઓનાં ફૂલગુલાબી માં પિતાના ભાવી