________________ 16 મહર્ષિ મેતારજ એનું બલિદાન વ્યર્થ જતું નથી ! એ બલિદાનને મૌનની વાચા આવે છે, ને જુગજુગ સુધી એવા હજારો શિકારીઓનું કલ્યાણ કરે છે. મરનારની શ્રદ્ધા જોઈએ.” આવી જ્ઞાનભરી વાતો કરતા કરતા બન્ને રાજગૃહિના દરવાજાઓમાં પ્રવેશ કરી ગયા. સંસ્થાને છેલ્લે પ્રકાશ જગત પરથી વિદાય લઈ રહ્યો હતો ને રાજગૃહિની બજાર દીપકના પ્રકાશથી ઝળહળી ઊઠી હતી. એક ચેકમાં બન્ને જુદા પડ્યા. મહામંત્રી રાજમહાલય તરફ ચાલ્યા. મેતાર્યો ઘોડાને ઘર તરફ હાંક્યો, પણ એટલીવારમાં કોઈ બાળક તેમને કંઈ કહી ગયો. મેતાર્યો ઘોડો પાછો ફેરવ્યું અને નગરના પાછળના ભાગમાં આવેલાં મતવાસનાં ગૃહ તરફ ચલાવ્યો. રાત્રીને ટાણે મેતાર્ય મેના ઘર તરફ શા માટે? કેટલાક નગરજનોના મનમાં પ્રશ્ન પેદા થયો ને પાછી નિત્ય વ્યવસાયમાં શાન્ત પડી ગયો. મેતાર્ય ધીરે ધીરે ઘોડે ચલાવતો વિરૂપાને આંગણે જઈ ઊભો રહ્યો. વિરૂપા ઘરમાં દીવો પેટાવી એની સામે એકી નજરે જોઈ રહી હતી. વખતનાં વહેણની સાથે યૌવનની ખુમારી ચાલી ગઈ હતી, પણ પ્રૌઢ અવસ્થાએ તે વળી રૂપને રંગ ગાઢો કર્યો હતે. એકાદ બે ઝીણું કરચલીઓએ ચહેરાને વધુ દેખાવડો બનાવ્યું હતું. ઓછાં સંતાન ને ઓછી સુવાવડે; બંનેએ એને ઠસ્સો જાળવી રાખ્યું હતું, છતાં એ ઉન્મત્ત કંઠ, મદભર ચાલ અને રૂઆબભેર વાતો હવે નહતી. ઘોડાની હણહણાટી સાંભળતાં વિરૂપા દી લઈ બહાર આવી. આંગણામાં ઊભા કરેલા ફૂલછોડના ક્યારા ઉપર દીવો મૂક્યો. મેતાર્ય, પધારે!” શા માટે મને યાદ કર્યો?”