________________ મેહપાશ 201 " ત્યારે મારો પિતા માતંગ અને મારી મા વિરૂપા ! મારું કળ મેત એમ ને ! " “કેણ દુષ્ટા તને મેત કહે છે? એની જીભ જ ખેંચી લઉં !" ફરીથી વિરૂપા આવેશમાં આવી ગઈ. “મેતાર્યને મારો પુત્ર કેણું કહે છે? એ તે ધનદત્તનું સંતાન ! વિરુપા તે પાગલ છે, એનું કહ્યું કેઈ માનશો મા !" મા, મુંઝાશો નહિ ! મેત કુળ મારે મન હીણું નથી. મારું કુળ જ મેત ! આજથી હું મેત ! હું તે વિરૂપાનો પુત્ર. જેને શરમ આવતી હોય એ એને છોડી દે! ધનદત્ત મારા પિતા નહિ, ને દેવશ્રી મારી માતા નહિ. કુળ, કીતિ ને પેસે; બધું ય માતાના પ્યાર પાસે ફીકકું છે. હું મેતાયે નહિ, મેતારજ! મેતાર્યના આ લાંબા વાક્યો દરમ્યાન વિરૂપા પાછી મનને સ્થિર કરી શકી. એણે મેતાર્યના જવાબને કંઈ ઉત્તર ન વાળ્યો. એ કંઈક ગંભીર વિચારમાં ઊતરી પડી. થોડીવારે બોલી: મેતાર્ય, ગરીબ માતાનું વચન કદી નહિ ઉથાપે? ગરીબ મા સદા વહાલી લાગશે?” “મા અને ગરીબ? મા એ મા છે. માનું વચન શિરસાવંધ છે. પરીક્ષા કરવી હોય ત્યારે કરી જશે !" આજે જ પરીક્ષા કરીશ.” “ભલે.” “આ તારી ગરીબ માતાની આજ્ઞા છે, કે આ વાતને તારે ભૂલી જવી. ફરીથી ધનદત્તના પુત્ર બની જવું! વિરૂપા તારી કોઈ નહિ, એમ સ્વીકારી લેવું.”