________________ 212 મહર્ષિ મેતારજ મનની સ્થિતિ પરખી લીધી. એણે જરા કટાક્ષ કર્યો. વિરૂપ, ગાંડો નથી થયું. બાકી, હવે વાત ગમે તેટલી કરું તેથી શું? વિદ્યા ને રૂપ બે હોય તો આજે કુળ તે ખાંડ ખાય છે ખાંડ, પણ હવે એવી વાતે આપણને બંધ કરવી શોભે.” શા માટે?” પેલા વેદપાઠી કહેતા હતા કે અપુત્રીયા માણસને નરક મળે છે. એણે જીવતાં પ્રાયશ્ચિત કરવું પડે !" " ત્યારે તો બ્રહ્મચારીઓની દુર્ગતિ જ એમને?” “ના, ના, આ તો પરણેલાની વાત છે.” પરણેલામાં આપણા પરમ પ્રભુ ! બેલ છે કંઈ જવાબ?” માતંગ એકદમ ઊંડી વિમાસણમાં પડી ગયો. એ થોડીવારે બોલ્યાઃ “વિરૂપા, હું ગાંડો થયો છું, એ વાત જાતે જ કબૂલ કરી લઉં છું. અહા, હું અહંકાર રાખતો હતો કે પરમ પ્રભુના સિદ્ધાન્ત બરાબર લક્ષમાં રાખું છું, પણ એ મારું અભિમાન આજે મેતાર્યને જોઈ ગળી ગયું. પણ એક વાત ચોખ્ખી કહી દઉં, વિરૂપા! ગમે તેમ પણ પુત્રની વાત સાંભળી મને કંઈ કંઈ થઈ જાય છે. જીવતે કે મરેલો એક પુત્ર હેત ને, તે ય.......અને માતંગ વિચારમગ્ન બની પરસાળમાં જ નાની એવી માટીની પાળીના ટેકે બેસી ગયો. શાન્ત અને સ્વસ્થ બની બેઠેલી વિરૂપાને પતિપ્રેમે પુનઃ અસ્વસ્થ બનાવવા માંડી. એણે વિચાર કરવા માંડ્યો કે માતંગને હવે બીજી માયા તે નથી, ત્યારે ભલે એ પણ રહસ્ય જાણું લે! અને પતિપ્રેમમાં ભાન ભૂલેલી વિરૂપા વિસરી ગઈ કે જે વાત પર એ ભૂતકાળને પડદો પાડવા ઈચ્છતી હતી, એ જ વાત પિતાને હાથે