________________ મેહપાશ 205 છતાં માતંગને એ રૂપદિવાન ઠરાવીએ તો એ પણ એકપક્ષી ન્યાય થયો ગણાય. માતંગ મંત્રસિદ્ધોને રાજા હતો. એના લાંબા વાળ કંઈ વિરૂપાથી ઓછા રૂઆબદાર નહોતા. કાને કંડલ, હાથે બાજુબંધ પહેરીને છૂટા કેશે એ ફરતો ત્યારે સાક્ષાત કામદેવનો અવતાર લાગત. અલબત્ત, મેતની જાત એ વેળા હલકી હતી, પણ વેદમંત્ર સિવાય એ બધું ભણતી, અધિકાર ભોગવતી, એમાં પ્રભુ મહાવીર મળ્યા. મેતો બેડો પાર થણ વિપા ને માતંગ એવાં ધર્મક મેત હતાં. એમનું દાંપત્ય અખંડિત હતું, પણ હવે વાસનાને થાક લાગ્યો હતે. ઘણીવાર બન્નેના મનમાં થયા કરતું કે આપણું આ મહેલને કેઈ નવા થાંભલાની જરૂર છે. આપણા જીવનમાં રસ પૂરનાર કોઈ નવું તત્ત્વ ઉમેરાવું ઘટે. દિવસે વીતતા ગયા, પણ એમાંનું કંઈ ન બન્યું. માતંગ કંઈક નિરાશ રહે જણાયો. એની નિરાશા દૂર કરવા મેતાર્યને બધો ભેદ કહી દેવા બોલાવ્યો, પણ આખરે સ્ત્રી તે સ્ત્રી ! એણે શેઠાણના દિલ પર વરસનાર વજપાતની કલ્પના કરી અને મેતાર્યને આ રહસ્ય કેઈને ન કહેવાના સોગન સાથે વિદાય કર્યો.