________________ મોહપાશ 15 પડેલ મારી અજબ સેવા એના સિવાય કોઈ ન કરી શકે. જ્ઞાત સરખું સામર્થ્ય હોય એમ મને નથી લાગતું. વિચાર અને આચારમાં ઘણો ભેદ છે, છતાં ખાતરી રાખજો! એક દહાડો જ્ઞાતપુત્રનો ઉપદેશ ચરિતાર્થ કરી બતાવીશ. મંત્રીવર્ય, તમારા જેટલું સામર્થ્ય તે દુર્લભ છે.” કુમાર, સંસારને તે કરોળીઆની જાળ માનજે !" “એને પ્રાણાર્પણથી પણ ભેદવાની હોંશ છે.” વારુ મેતાર્ય, એક ચર્ચા તમને કહેવાની રહી ગઈ. અમારે વાદવિવાદ ચાલ્યો. એકે કહ્યું કે સત્ય ને અહિંસામાં પણ વેળા-કળા જેવાની! ધારો કે એક મૃગલું આપણુ પાસેથી પસાર થયું. એને જતું જેનાર આપણે સિવાય ત્યાં અન્ય કેઈ નથી. પાછળ જ એક કર પારધેિ આવીને પ્રશ્ન કરે કે મૃગલું જોયું? હવે આપણે શું કરવું ? મેં કહ્યું સત્ય કહો તે હિંસા થાય છે. ખોટું કહે તે સત્ય હણાય છે. મૌન રહે તે પેલે તમારો ઘાત કરે છે. ત્રણમાંથી શું કરવું ? મેતાર્ય, આ ચર્ચા ખૂબ રસભરી નિવડી. બેલે, તમે શો જવાબ આપ છો ?" “જીવને સાટે પ્રતિજ્ઞા પાળવી. શિકારીને સમજાવો, ન માને તે પ્રાણનું પણ બલિદાન આપી પ્રતિજ્ઞા જાળવવી!” શાબાશ મેતાર્ય! તમારી ભાવના બરાબર છે, પણ ભલા કઈ એમ પણ કહે કે હરણ જેવા ક્ષુદ્ર પ્રાણુ ખાતર મહા પરાક્રમી માણસે મરી ફીટવું?” સત્ય અને અહિંસાપાલકને મન કીડી અને કુંજર બધાં ય સરખાં છે. અને એ રીતે સત્ય અને અહિંસાની વેદી પર આપેલું