________________ મેહપાશ 193 “મહામાત્ય; બહુ મોટી દુવિધામાં છું. એક તરફ તમને જોઉં છું, જ્ઞાતપુત્રને નિરખું છું, મહાસતી વંદના ને સુલતાને સ્મરું છું ત્યારે આ બધું ફિક્કુ લાગે છે. એમ લાગે છે કે બધું ય નીરસ છે. રસ છે કેવળ ત્યાગ, વૈરાગ્ય ને અર્પણમાં ! પણ ક્ષણવારમાં પડદો હટે છે, ને પેલાં મદભર્યા નયને ને માધુર્યની મૂર્તિઓ જોઉં છું ત્યારે કેફ ચડી જાય છે. જાણે એમ લાગે છે કે આ સુંવાળા સહચાર જ જીવન સર્વસ્વ છે ! એને ન છોડી શકાય !" “કુમાર, કેટલાકના જીવનનું નિર્માણ જ એવું હોય છે, પ્રેરો કે ન પ્રેરે, એ ભોગ તરફ જ ધસવાનું. એવાને ભોગ ભોગવવાનું ન કહેતાં વૈરાગ્ય તરફ ખેંચી જવામાં ઘણું જોખમ છે. એવે ટાણે તમને ઉપજતી દુવિધા ઉપયોગી છે. ભોગના કીચમાંથી એકદહાડો એ ગ તરફ પ્રેરી જાય છે. કુમાર, હવે મારે જુદા પડવાને વખત આવી પહોંચ્યો છે. જતાં પહેલાં એક જ વાત કહું છું કે ભોગને પણ મર્યાદા છે, વખત આવે એને પણ છોડી દેજો !" મહામાત્ય, ભલે રાજના ગુનેગારને દંડ દેવા આજે સીધા, પણ મારા લગ્નમાં અવશ્ય હાજર રહેવું પડશે. એ વિના લગ્નક્રિયા નહીં થાય.” લગ્નક્રિયામાં વિલંબ પણ નહીં પોસાય. કુમાર, તો મહામાત્યને સાથે જ લઈ લો !" ગજરાજ પર આરૂઢ થયેલ મગધનાથ આ સંવાદ સાંભળી રહ્યા હતા. તેમણે વચમાં કહ્યું : પણ મહારાજ, મહામાત્ય તે આજ્ઞાધીન છે. મગધનાથની આજ્ઞાની વાર છે.” મેતાર્યો મહામાત્ય કંઈ હા-ના ભણે, તે પહેલાં તેમને યુક્તિથી બાંધી લીધા. કુમાર મેતાર્યનાં લગ્ન હેય એ વેળા હાજર રહેવાના વગર 13