________________ મેહપાશ 191 મુખપરની આ ચિંતાની રેખાઓ પકડી શકાય તેમ નહોતી, પણ ચતુર મેતાર્ય પાસે એ છૂપાવી શકાય તેમ નહોતું! “મંત્રીરાજ, કંઈક વિચારમાં લાગે છે?” મેતા પિતાના અસ્વને જરા વધુ પાસે ચલાવતાં કહ્યું. “વિચાર ?" મહામાત્યે ભારે દિલે ઉચ્ચાર્યું. “મેતાર્ય, વિચાર તો માનવમાત્રને સ્વાભાવિક છે. ચાહે કે ન ચાહો એ તો આવ્યા જ કરે ને!” એમ વાત ઉડાવા માટે વિચાર વિચારમાં અંતર હોય છે, મંત્રી રાજના સદા સ્વસ્થ હૃદયને સતાવી રહેલા વિચાર સ્વાભાવિક કે સામાન્ય ન હોય.” મેતાર્ય, સાચું છે. મુખ તો માણસના મનનું દર્પણ છે. વિચાર તે બીજે કંઈ નહિ પણ આ રાજજીવનને છે. દિવસે દિવસે એમાંથી છૂટવાનો પ્રયાસ કરતો જાઉં છું, તેમ તેમ વધુ ને વધુ એમાં ગુંથાત જાઉં છું.” “એટલે તમે રાજગાદીને ત્યાગ કરવા ઇચ્છે છે ?" મેતાર્ય આશ્ચર્યમગ્ન બની પ્રશ્ન પૂછી રહ્યો. “રાજગાદીના ત્યાગને નિર્ણય થઈ ચૂકેલે છે.” " મગધનું સામ્રાજ્ય નાનું પડ્યું?” “નાનું નથી પડયું. એ જીવનને રસ જ મારામાં રહ્યો નથી. ગૃહસ્થાશ્રમનું જીવન ગાળવા જેમ અમુક રસની આવશ્યક્તા છે, એમ રાજવી જીવન ગાળવા માટે પણ. પણ મને તે બધું નીરસ લાગે છે.” “તે શું કરશો ?" “જ્ઞાતપુત્રના શરણે જઈશ.” " સાધુ થશે?” મેતાર્ય અત્યંત આશ્ચર્ય અનુભવી રહ્યો.