________________ મે હ પા શ [ 16 ]. સધસ્થાપનાની એ છડી સવારીએથી મગધરાજ પોતાના મંત્રી–સામંતને સરદારો સાથે પુનઃ રાજગૃહી તરફ પાછા ફરતા હતા. રણક્ષેત્રના વિજયના જે આજના ધર્મવિજયનો આનંદ અપૂર્વ હતે. મહાપ્રભુએ મગધનાં જ બે મહારત્નોને શ્રાવક ને શ્રાવિકાપદે અંકિત કર્યા હતાં. પ્રભુએ જાણે આડકતરે આદેશ કર્યો હતો કે મગધના નાથે મહાધર્મને પ્રચાર કરો. અને એ મહાધર્મના પ્રચારની અનેકાનેક શક્યતાઓ મગધને વરી હતી. ચેલણ ને નંદા જેવી રાણઓ, અભય ને નાગથિક જેવા વિશ્વાસુ મંત્રીઓઃ મેતાર્ય જેવા શ્રેણિપુત્રો અને માતંગ વિરૂપા જેવી સુંદર બે બેલડીઓ અહીં હતી. અનેક સુંદર વટવૃક્ષો પાંગરેલાં હતાં કે જેની છાયામાં બીજા વટવૃક્ષને પાંગરતાં વાર ન લાગે ! આખી સવારી વનપ્રદેશની શોભા નિહાળતી આગળ વધતી હતી. મગધરાજ જ્ઞાતપુત્રના નવસંદેશને, અહિંસા અને ત્યાગની ભાવનાને રાજકીય વ્યવહારોમાં કેમ અંતર્ગત કરવી એની કલ્પનામાં મા હતા. મગધરાજના “સેચનક' હસ્તિની પાછળ જ મહામાત્ય અભય અને નગરશ્રેષ્ટિ મેતાર્યના પડછંદ અ હતા. મહામાત્યના ચહેરા પર આછી વ્યગ્રતા હતા. સદા સ્વસ્થ ને શાન્ત દેખાતા મહામાત્યના