________________ 186 મહર્ષિ મેતારજ જિણશું જાવયાણું, તિન્નાણું તારયાણું, બુદાણું બેહયાણું, મુત્તાણું મોઅગાણું. સબ્યુનૂણું, સવદરિસીયું, સિવ–મયેલ–મરૂઅમર્ણતમફખય–અવ્યાબાહ-મપુણરાવિત્તિ સિદ્ધિગઈ નામધેય ઠાણું સંપત્તાણું નમે જિણાણું જિઅભયાણું.” સ્તુતિ પૂરી થઈ. આખી પરિષદાએ “નમો જિણાણું જિઅભયાણું ને જયનાદ ગજાવ્યો. આ જયનાદને પલ્વે ક્ષણવાર સર્વ દિશાઓને બધિર બનાવી રહ્યો. આઠ પંડિતને પણ શરણે ગયેલા સાંભળી નગરલોકનાં જુથેજુથી મહસેનવન તરફ ઊલટી રહ્યાં હતાં. મહસેનવનમાં ઉમટી રહેલી માનવમેદની તરફ દષ્ટિ ધૂમાવતાં જ્ઞાતપુત્રે પિતાના ઉપદેશને પ્રારંભ કર્યોઃ “મહાનુભાવો, દરેક ધર્મ અને દરેક પ્રાણી મારી દષ્ટિએ સમાન છે, કારણ કે હું સ્યાદવાદ” સિદ્ધાન્તનો પ્રતિપાદક છું. સંસારના મેટા રાગદ્વેષે જેવા કે જાણવાના દષ્ટિબિંદુના ભેદથી જ ઉત્પન્ન થાય છે. કોઈ ધર્મ, કઈ વસ્તુ કે કઈ ક્રિયાઃ દરેકને બે બાજુ હોય છે. એ બંને બાજુ જેવી–નિરખવી–એને સમન્વય કરઃ એનું નામ સ્યાદવાદ છે. સ્યાદવાદના સિદ્ધાંતને અનુસરનારો માણસ પરસ્પર વિરુદ્ધ લાગતી બાબતમાંથી પણ તત્ત્વ તારવી શકે છે. લોકે કહે છે કે હું કોઈ ધર્મની નિંદા કરતો નથી, કેવલ મારી વાતનું વિધાન કરું છું એ વાત સાચી છે–પણ એમાં દંભ નથી. સ્યાદ્વાદ દષ્ટિવાળા માણસ વિવિધ દૃષ્ટિબિંદુથી દરેક ધર્મને નિરખે છે. અને દરેક ધર્મ અમુક દષ્ટિબિંદુએ સારો હોય છે. એ સારાને સમન્વય સાધવો એ જ