________________ 182 મહર્ષિ મેતારજ પૃથ્વી સરસું નત કરી બોલી ઊઠયો. અગ્નિભૂતિની વાણુમાં પ્રચંડ પૂર વહી ગયા પછીની શાન્તિ હતી. તથાસ્તુ ગૌતમ!” જ્ઞાતપુત્રે પિતાના વિજ્યથી લેશ પણ ન હરખાતાં એ જ શાન્તિથી ઉપરના શબ્દો ઉચ્ચાર્યા. અગ્નિભૂતિ ગૌતમના પાંચસો શિષ્ય પણ ગુના ગુરુને ચરણે બેસી ગયા. આ વર્તમાન વાયુવેગે યજ્ઞમંડપમાં જઈ પહોંચ્યા. અગ્નિભૂતિ ને ઈદ્રભૂતિન ભાઈ વાયુભૂતિ સહસા જ આસન પરથી ઊભા થઈ ગયા ને સશિષ્ય પરિવાર મહસેન વન તરફ ચાલ્યા. ન કોઈની સાથે કંઈ બોલ્યા કે ન કંઈ ચર્ચા કરી. એમનું મુખ અનેક રેખાઓથી અંક્તિ થઈ ગયું હતું. પોતાના બન્ને ભાઈઓને ચળાવનાર તરફ તેમના દિલમાં અત્યંત ઉગ્ર આવેગ હતું. પણ માર્ગમાં જ જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ તેમનો એ આવેગ ધીરે ધીરે શમતે ચાલ્યો. એમને વિચારતાં લાગ્યું કે જે મહાપુરુષને આશ્રય મારા બંને ભાઈઓએ સ્વીકાર્યો એ મહાપુરુષ ખરેખર મહાન હશે, એમનો સાથે વાદાવાદ કરનાર હું કોણ માત્ર ! વાયુભૂતિ ગૌતમે વગર વિવાદે મહેસેનવનમાં આવી જ્ઞાતપુત્રનું શરણ સ્વીકાર્યું. આર્યાવર્તન ત્રણ ત્રણ મહાન વિદ્વાનોના આ રીતના સમાચારથી દેશવિદેશથી આવેલો સમુદાય ખળભળી ઊડ્યો. ધર્મપ્રતિષ્ઠાના સવાલ પાસે સહુ અધીરાં બની ઊડ્યાં. સોમિલ વિષે ઊભા થઈ રેષ ભરી વાણીમાં કહ્યું “દેવભૂમિ આર્યાવર્તમાંથી શું વેદનું જ્ઞાન નષ્ટ પામ્યું છે, કે એક સામાન્ય માણસ કે જે કદી કઈ વિદ્યાપીઠ કે વિદ્યાશ્રમમાં