________________ 176 મહર્ષિ મેતારજ શકે છે. જે પોતાનાં કર્મ યથોચિત કરતો નથી. એ બ્રાહ્મણ કેવલ કારના ઉચ્ચારથી બ્રાહ્મણત્વને યોગ્ય નથી, શસ્ત્ર લેવાથી ક્ષત્રિય થઈ શકતો નથી, ને જોખવા–માપવામાંથી વૈશ્ય બની શકતો નથી. અને એવી જ રીતે અમ સાધુઓનું પણ સમજવું. મુંડન કરવા માત્રથી સાધુ કે મુનિ થવાતું નથી, વનમાં વસવાથી કે વલ્કલ પહેરવાથી તપસ્વી થવાતું નથી. સ્વકર્મને યાચિત રીતે કરનાર તે તે પદને યોગ્ય છે અને હલકું કે ભારે ગમે તે કર્મ યાચિત ને યથાખ્યાત રીતે કરનાર કઈ બ્રાહ્મણ, શક કે મુનિ ઉચ્ચનીચ, સ્પેશ્ય–અસ્પૃશ્ય કે અધિકારી-અનધિકારી નથી.”x કેટલું સત્ય જ્ઞાન! ન શાસ્ત્રીયતાની જટિલતા કે ન પાંડિત્યની ઉગ્રતા ! યુક્તિ, વાદ કે દલીલોની પ્રપંચજાળનું જાણે અહીં અસ્તિત્વ જ નથી ! સાદું, સરળ, સ્વતઃ સમજાઈ જાય તેવી જ વાણી ને વિચાર ! માનવીને વાદાવાદ જ જાણે નિરર્થક ભાસે ! આર્યાવર્તન મહાન વિદ્વાન વિચારોની ઊંડી ગર્તામાં પડી ગયો. એણે જીવનમાં આટલું નિખાલસ, આત્મભાવને સ્પર્શતું, નમ્ર ને સર્વગ્રાહી તત્ત્વજ્ઞાન સાંભળ્યું નહોતું. એના પાંડિત્યના પોપડાઓમાં વીંટાયેલે આત્માને અનાહત નાદ જાણે વારે વારે ગર્જી ઊઠતો હતોઃ “ગૌતમ! તને તારી બધી વિદ્યા શું શુષ્ક નથી ભાસતી ? તારી વિદ્યાની શુષ્કતા તૃષાતુર * कम्मुणा बंभणो होइ, कम्मुणा होइ खन्तिओ / ___ कम्मुणा वइसो होइ, शुद्रो हवइ कम्मुणा // ઉત્તરાધ્યયન અ. 25, ગા. 33 x न वि मुंडिएण समणो, न ओंकारेण बंभणो। ___ न मुणौ रण्णवासेणं, कुस चीरेण न तावसो // ઉત્તરાધ્યયન, અ. 25. ગા. 31.