________________ જ્ઞાતપુત્રને ચરણે 173 શેભતા ઈંદ્રભૂતિ ગૌતમ મહસેનવનમાં આવી પહોંચ્યા. વનના પ્રારંભમાં હય, વાજી ને રથ વગેરે વાહનો ઊભાં હતાં. ઈદ્રભૂતિ ગૌતમે તેમાં પ્રવેશ કર્યો, પણ સાથે જ એક અકથ્ય મહાન હિમગિરિ પર સૂર્યનાં કિરણે પડતાં જેમ એ સ્વયં દ્રવવા લાગે, એવી કઈ લાગણી આ મહાન પંડિતરાજને થઈ આવી. અનેક આશ્રમ, વન ને પુષ્કરણીઓને પ્રવાસ એણે ખેડ્યો હતો, પણ આવું સૌમ્ય વાતાવરણ કદી અનુભવ્યું નહોતું. જલસ્થત્પન્ન પંચવણું પુષ્પોથી આ વનખંડ મઘમઘી રહ્યો હતો. વૈશાખનો ધમધખતો ભાનુ પણ અહીં શાન્ત બનીને તેજ ઢાળી રહ્યો હતો. વનવૃક્ષોમાંથી મંદ મંદ વહેતે વાયુ વંસવાણુના મીઠા સ્વરે ઉત્પન્ન કરી વાતાવરણને સુસ્વરી બનાવતો હતો. જાણે કભૂતિ ગૌતમના પાંડિત્યના ગન્નત શિખરને કઈ નવીન ઝંઝાવાત ક્ષણવારને માટે સ્પર્શી ગયે, પણ તરત જ સાવધ બની એ આગળ વધ્યો. હવે જ્ઞાતપુત્રની સભા દૃષ્ટિગોચર થતી હતી. સ્વયં નમ્ર બની જતા દિલને ઈદ્રભૂતિએ પુનઃ એકવાર સ્વસ્થ કર્યું. કંઈકે મૂકેલા મસ્તકને પુનઃ ટટ્ટાર કર્યું, ને એણે વેદમંત્રને ઉચ્ચાર કર્યો. થોડે જ દૂર, આસપાલવની લાંબી છાયાઓથી આચ્છાદિત એક વેદિકા ઉપર કેઈ તેજના વર્તુલોથી ભરેલી મૂર્તિ બેઠી હતી. મેઘ જેવી ગંભીર, પુષ્ટ અર્થવાળી ને મધુર વાણું ઈદ્રભૂતિના શ્રવણપટને સ્પર્શી રહી. એ મનનું સ્વાસ્થ જાળવી દઢ પગલે આગળ વળે, પણ વેદિકા પર એની દષ્ટિ સ્થિર ન થઈ શકી. શરદઋતુનાં ઉગ્ર સૂર્યકિરણને સમૂહ જાણે એની આંખને આંજી રહ્યો હતો ! “નક્કી કઈ ઇદ્રજાલી !" ઇન્દ્રભૂતિએ મનમાં વિચાર કર્યો ને