________________ 172 મહર્ષિ મેતારજ આ વર્ગ હવે દષ્ટિપથમાં આવ્યો હતો. યજ્ઞકુંડમા વ્રત ને મધુમેયના ઘડાઓ હેમાવા લાગ્યા. વેદગાનને ઘોષ પ્રચંડ બ. . પણ આ શું? રાજાઓને એ સમૂહ યજ્ઞમંડપ તરફ આવવાને બદલે અપાપા નગરીની પાસે આવેલ મહસેનવન તરફ ચાલ્યું. રાજાએ માર્ગ ભૂલ્યા. સોમિલ વિપ્રે અનુચરને માર્ગ બતાવવા મોકલ્ય, પણ ક્ષણવારમાં અનુચરે આવી પ્રણામ કરતા કહ્યું : તેઓ મહસેનવનમાં સર્વપ્નને વાંદવા જાય છે !" “કોણ સર્વજ્ઞ ?" અગિયાર વિદ્વાન વિપ્રેમાંના વડા વિપ્ર છદ્રભૂતિ ગૌતમે ઊંચા અવાજે પ્રશ્ન કર્યો. “જ્ઞાતપુત્ર!” “જ્ઞાતપુત્ર અને વળી સર્વજ્ઞ ! વદતે વ્યાઘાત !" ઇન્દ્રભૂતિ ગૌતમે આસન પરથી ઊભા થતાં પડકાર કર્યો, અને મસ્તક પરની શિખાની બાંધ-છોડ કરતાં કહ્યું: “હું એ જ્ઞાતપુત્રની સર્વજ્ઞતાની શેખીને પળવારમાં ધૂળમાં મેળવવા અત્યારે ને અત્યારે પ્રયાણ કરીશ. મારા શિષ્યવર્ગ સિવાય કોઈ મારી સાથે આવશો નહિ. તમે બધા શ્રદ્ધા રાખજો કે ઈદ્રભૂતિ ગૌતમ ઘડીના છઠ્ઠા ભાગમાં એની સર્વજ્ઞતાને સંહારી તમારી સમક્ષ ઉપસ્થિત થશે. આપ સર્વે યજ્ઞના પવિત્ર કાર્યને શાન્તિથી આગળ ધપાવો !" ઈદ્રભૂતિ ગૌતમે આસનથી નીચે પગ મૂક્યોને સર્વત્ર “છદ્રભૂતિ ગૌતમના જય”ની પ્રચંડ ઘેઘણું ગાજી રહી. વસુભૂતિ ગૌતમના આ વડા પુત્રની વિદ્વતા વિષે કેઇને તલમાત્ર સંદેહ નહતો. એની વાદશક્તિ ને જ્ઞાનતેજ પાસે કોઈ ટકી શકતું નહિ. ભક્તજને સ્વયં જ્યને જાણે વિજય માટે પ્રસ્થાન કરતો જોઈ રહ્યા. . મહસેનવનને માર્ગ અતિ દૂર ન હતા. પાંચસે અનુયાયીઓથી