________________ 170 મહર્ષિ મેતારજ N વિરોધી બનત! માટે તમે સાવધ રહેજે ! એને ભાષાઈબર પ્રબળ છે. એની યુક્તિઓ સામાન્ય નથી. એની નમ્રતા ને સરળતાનો બાહ્ય રીતે કઈ જોટો નથી. પણ આ બધા તે વૈદિક ધર્મના નાશ માટેના છદ્મવેશ છે. એ ખંડનાત્મક શબ્દો વાપરતે નથી, આ ધર્મ ખેટે છે, એમ એ કદી કહેતા નથી. એ કહે છે, કે આ ધર્મ સારે છે. આવી ખંડનાત્મક નીતિથી એ ચાલાક પિતાને પ્રચાર કરે છે, માટે બધા સાવધ રહેજે ! આ ઘોષણ આર્યાવર્તના એક છેડાથી બીજા છેડા સુધી ભયંકર આંધિની જેમ ક્ષણવારમાં પ્રસરી વળી. રાજકારણની પ્રવૃત્તિ જેમ આ ધર્મકરણની પ્રવૃત્તિઓ લેકનાં મન ચકડોળે ચડાવ્યાં. વૈદિક ધર્મ સંદેશ ઠેર ઠેર પહોંચી ગયો, ને એકવાર વૈદિકના નવીન સંગઠનમાં પ્રાણ પૂર્યો. જ્ઞાતપુત્ર અપાપા નગરીની આસપાસ હતા, ને અપાપામાં આવવાની સંભાવના જાણીઃ આ નગરીના મહાન ધનાઢય શ્રોત્રિય સમિલે મહાન યજ્ઞની જાહેરાત કરી અને તમામ વેદધર્મનુયાયીઓને નિમંત્રણ મોકલ્યાં. પણ તેડાં મેકલ્યાં. દેશદેશથી એક અખંડ જનપ્રવાહ અપાપા નગરી તરફ વહેતો થયો. મગધના ગેબર નામના ગામથી સુપ્રસિદ્ધ વસુભૂતિ ગૌતમના વેદવિદ્યાવિશારદ, સકલશાસ્ત્રપારંગત, વાદકલાનિપુણ ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ ને વાયુભૂતિ નામના ત્રણ પુત્રએ પિતાના અનેક શિષ્યો સાથે આ