________________ જ્ઞાતપુત્રને ચરણે 169 નિહાળે છે. પિતનપુરના પ્રસન્નચંદ્ર ને હસ્તર્ષિના અદીનશત્રુ પોતાની ધર્મદીનતા છડેચેક સ્વીકારી રહ્યા છે. ઉજ્જયિનીના ચંડપ્રદ્યોતને અને હિમગીરીની તળેટીમાં આવેલ પૃષ્ઠચંપાના રાજાએ પણ પોતાની પીઠ બતાવી દીધી છે. નાના નાના અનેક રાજાઓ વેદવિહિત યજ્ઞો કરવામાં નાનમ સેવવા લાગ્યા છે. વૈશાલિના મગરૂર મહારાજ ચેટકે તો એ જ્ઞાતપુત્રનાં પગલાંને પરમેશ્વરનાં પાદચિહ્ન કરીને પૂજ્યાં છે. છેલ્લે છેલ્લે શેષ રહેલ મગધરાજે પણ એક નવયૌવના રાણુના રૂપમાં અંજાઈ એ જાદુગરની આગળ શિર ઝુકાવ્યું છે. વેદધર્મનુયાયીઓ, કાન ખોલીને સાંભળી લેજે ! એ ધુતારા જ્ઞાતપુત્રે હમણું હમણું પતે સર્વજ્ઞ * બનેલ છે, એવી જાહેરાત કરી છે. અને એ રીતે એણે પિતાનું કામ આગળ ધપાવ્યું છે. એણે સુંદર સિંહાસનોમાં બેસીને અનેક જનો સામે પિતાના સર્વજ્ઞભાવના અહંકારથી પ્રથમ દેશના-પ્રથમ ઉપદેશ આપ્યું છે પણ શ્રોત્રિયે ! જાણીને ખુશ થશો કે સત્ય કદી છૂપાયું છુપાતું નથી. એના ઉપદેશને એક પણ માણસે સ્વીકાર કર્યો નથી. એ નિષ્ફળ ગયો છે. વૈદિક ધર્મને આ મહાન વિજય લેખજે પણ આવા વિજયથી ખુશ થવાની જરૂર નથી. સંગઠન કરે, સંઘબળ કેળ ને ફરીથી વૈદિક ધર્મના જયજયકારથી આર્યાવર્તને ગુજાવી દે! તમે નિફ્ટય રાખજો કે આ ધર્મમાં કંઈ સારતત્વ નથી. હેય કે ઉપાદેય જેવું કંઈ છે જ નહિ. અને કદાચિત માની લઈએ કે જે એમ હેય તે જ્ઞાતપુત્રને પ્રથમ શિષ્ય ગૌશાળક તેનાથી કેમ દૂર થાત ! જ્ઞાતપુત્રનાં પુત્રી ને જમાઈ એના તત્ત્વજ્ઞાનનાં કેમ * પ્રભુ મહાવીરને દીક્ષા લીધા પછી બાર વર્ષ, ને સાડા છ માસે, વૈશાખ સુદી ૧મે, ત્રીજુવાલિકા નદીના તટપર કેવલજ્ઞાન-ત્રણ કાળનું જ્ઞાન થયું હતું. આ પછી તેમણે આપેલો પ્રથમ ઉપદેશનિફળ હતો. કોઈએ એ તો સ્વીકાર્યા નહોતાં.