________________ જ્ઞાતપુત્રને ચરણે 167 સંસ્કાર પરિમલથી પુત્ર-બલિદાનની સફળતાને ઉલ્લાસ વ્યાપ ચા. સમસ્ત મગધના અંતરરાજ્ય પર રાણું ચલણું જેવી એક સુકોમળ સુંદરી અજાણ રીતે એક નવી ભાત પૂરી રહી હતી. આ નવી ભાતમાં અવનવા રંગેની પુરવણ કુમાર મેતાર્યો કરી. એનાં પુણ્યપ્રવાસનાં સંસ્મરણએ અનુકૂળ વાતાવરણની હવા છે. આ સર્વની સ્થાયી અસર મગધરાજ પર ધીરે ધીરે કાબૂ લેવા માંડી. રાતને દહાડે બૌદ્ધ સાધુઓનાં સંસર્ગમાં રહેનાર રાજવીને જૈન શ્રમનો પરિચય પ્રિય લાગવા માંડ્યો. એમના સાદા ને સરળ ઉપદેશો, આત્યંતિક ત્યાગ ને સર્વથા દેહોત્સર્ગની વાત પાસે બૌદ્ધધર્મને મધ્યમ માર્ગ મેક્ષપ્રાપ્તિની કંઇક પ્રાથમિક ભૂમિકા જેવો ભાસ્યો. આ ધર્મરંગ વધતે ગયે ને એના ગાઢ પાસ મગધરાજ પર બેસતા ગયા. જ્ઞાતપુત્રનાં વખાણ તે દિનદહાડે સંભળાતાં હતાં, તેવામાં રાણી ચેલ્લણ સાથે વનવિહાર કરવા નીકળેલ રાજાને અનાથી નામના મુનિ સાથે પરિચય થયો. અનાથી મુનિ પૂર્વે એક રાજકુમાર હતા, પણ પિતાના શરીરમાં પ્રગટ થયેલ દાહવરની કઈ પણ શાન્તિ ન કરી શકવાથી, તેઓએ નિર્ણય કર્યો કે જે આ રોગની શાન્તિ થાય તો હું સંસારત્યાગ કરીશ. આ નિર્ણયથી રાજકુમારને દાહવર શાન્ત થયો, સગાંસ્નેહીઓના અનેક આગ્રહને વિનવણી છતાં સંસારનું દુઃખદ સ્વરૂપ સમજાવાથી રાજકુમારે દીક્ષા લઈ લીધી. અને ભય ભાદર્યા જગત વચ્ચે પણ માનવી અનાથ છે, એમ દર્શાવવા બૌદ્ધ ધર્મ માધ્યમિક માર્ગને ઉપાસક છે. તે માને છે, કે શરીરને અત્યંત કષ્ટ આપી કુશ ન કરવું અને ખૂબ મેજ શેખ કરી કીટાવવું પણ નહિ. ભગવાન મહાવીરે આત્યંતિક માર્ગ સ્વીકારેલો ? જેમાં પ્રિય પર સર્વથા વિજય મેળવવા દેહના અત્યંત દમન પર ભાર મૂક્યો.