________________ જ્ઞાતપુત્રને ચરણે [ 15 ] પારિજાતકના છોડને ગમે ત્યાંથી ઉપાડી લાવી વાઃ એ ઊગશે ને ખીલશે ત્યારે તે ગમે તેવો પ્રદેશ ને ગમે તેવું વાતાવરણ હશેઃ તે પણ એની એ જ સુગંધ વહાવશે, વાતાવરણને મુદિત કરશેઃ ને સશક્ત ધ્રાણેન્દ્રિયવાળાની આપોઆપ પ્રશંસા પામી ઊઠશે. પરમયૌવના–મહારાજ ચેટની પુત્રી રાણી ચેલ્લણ માટે પણ એવું જ બન્યું. આર્યાવર્તન એ પરમ સંસ્કારી રાજવીની પુત્રીનું હરણ કર્યું, એ વેળાં મગધનાં ઘણું માનવીઓને લાગ્યું હતું કે ઠીક થયું, રાજા ચેટકની સંસ્કાર-બડાશને ભલી ઠેકર વાગી. પણ એ લાગણી વિશેષ વખત ન જીવી શકી. રાણું ચલ્લણની સુવાસ આપો આપ અંતઃપુરને મુદિત કરતી ઘેરી વળી. ધીરે ધીરે એ અંતઃપુરમાંથી બહાર નીકળી, ને રાજસભા, કર્મચારીઓ ને આમ પ્રજા સુધી પહોંચી. મંત્રીરાજ અભયકુમાર ને અભયકુમારની માતા સુનંદાએ આ પ્રવૃત્તિના વેગમાં સુંદર સહાધ્ય કરી. મગધના વયોવૃદ્ધ રથિક નાગ મહાશયને આશીર્વાદ સાચે પડતું લાગે. બત્રીસ બત્રીસ પુત્રનાં મૃત્યુને કમીંધીને સ્થિતિ લેખી સંતોષ માનનાર શાણું સુલસાને હૈયે પણ રાણી ચેલણાના આ