________________ - 165 હાથતાળી જાતની થયેલી અવમાનનાને ક્રોધ દૂર થઈ ગયો. ક્ષણવારમાં એમનું મન પણ આચના કરવા લાગ્યું કે મારા અને કેયૂરમાં કયા તત્વની ખામી છે કે જેથી કેયૂર લૂંટારે કહેવાય ને હું મહામંત્રી કહેવાઉં. મહામાત્ય થોડીવાર ઊંડા વિચારમાં ઊતરી ગયા. બીજી ક્ષણે તેમણે હુકમ કર્યો. “વારુ, સંદેશવાહકોને કહો કે મગધરાજને ખબર આપે છે હિણેય સિવાય બધા લૂંટારાઓ પકડાયા છે, ને બાકી રહેલા એ લૂંટારાને પકડવા મહામંત્રી સ્વયં પોતાના થોડાએક સાથીદારો સાથે આગળ વધ્યા છે.” સંદેશવાહકે મારતે ઘોડે રાજગૃહીમાં આવ્યા. મગધરાજે આ સમાચાર સાંભળી ધન્યના શબ્દો ઉચ્ચાર્યા. પ્રજાને પણ પોતાના મહામાત્યની શક્તિ વિષે માન ઉપર્યું. સન્ય કુમાર મેતાર્થ ને માતંગની સાથે લૂંટારાઓને લઈ રાજગૃહીમાં. પ્રવેશ્ય.