________________ 164 મહષિ મેતારજ બોલતે હતો. તારે રોહિણેયને પત્તો આપવો પડશે.” “સૂર્યને પશ્ચિમમાં ઉગાડી શકે તે પણ નહિ!” કેયૂરે છાતી ફૂલાવતા ને એક એક શબ્દ પર ભાર મૂકતાં કહ્યું, અને સાથે સાથે ઉમેયું: “હું તે શું, પણ મારા આ સામાન્ય પલ્લીવાસીઓ પાસેથી પણ એવી વ્યર્થ આશા સેવશો નહિ!” મંત્રી રાજ, આવા નરને તે મગધના કેઈ સેનાપતિને હોદો શોભે ! કેવી વીરત્વભરી વફાદારી!” કુમાર મેતાર્યથી ન રહેવાયું. તે વચ્ચે બોલી ઊઠયોઃ અને મારી પ્રતિજ્ઞાનું શું ?" મહામાત્ય અભયે કંઈક ખેદ પૂર્વક વચ્ચે પડેલા મેતાર્યને પ્રશ્ન કર્યો. * “પ્રતિજ્ઞા પૂરી કરી શકે છે, અને તે પણ કેવલ લૂંટારાઓને પકડીને, જેર કરીને કે મારીને નહિ પણ તેમને મગધના શક્તિસ્થંભ બનાવીને! બુદ્ધિનિધાન, આપ કાં ભૂલો છો, કે આ પણ પ્રતિજ્ઞાની પ્રથમ પાદપૂતિ છે. અજેય એવી પલ્લી આપે નષ્ટભ્રષ્ટ કરી, કેયુર જેવા વીર ને વિચક્ષણ સાથીદારોને આપે કેદ કર્યા, હવે બાકી રહ્યો કેવલ રહિણેય ! એ આપના પરાક્રમ પાસે કેટલે સુધી બચશે; મારું તે કહેવું માત્ર એટલું છે, કે આ શક્તિના સ્કુલિંગને સારે રસ્તે વાળો. એમની બોલવાની છટા, ચાલવાની છટા, લડવાની છટા, શું સામાન્ય છે? મંત્રીરાજ, રોહિણેયને દાદો કેવલ લૂંટારો નહતો, એ તે મહાન સુધારાઓની આશા સેવનાર વીર હતું.” મેતાર્યનાં ચતુરાઈથી ભરેલાં વાક્યોએ મંત્રી રાજના દુભાએલા દિલ પર શાન્તિના જળને છંટકાવ કર્યો. આ પ્રસંગથી પિતાની