________________ 158 મહર્ષિ તારાજ move યમશરણું પહોંચાડ્યા હતા, ને તાબે થયા તેને મુશ્કેટોટ બાંધી નિઃશસ્ત્ર બનાવ્યા હતા. આજે તો આ સિન્ય ને સૈન્યપતિ જીવનમરણને સેદે કરીને ધસતાં હતાં, કારણ કે સૈન્યપતિ મહામાત્ય અભયે મગધની કીર્તિ સામે બાથ ભીડનાર રોહિણેયને પકડવાની પ્રજા સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાને ઘણા ઘણું દિવસ વીતી ચૂક્યા હતા. અનેક યુક્તિ પ્રયુક્તિઓ, ઘણું ઘણું ચતુરાઈઓ અને ચાલાકીના બળે આજે આટલું સાહસ ખેડી શકાયું હતું. ઘેરી લો તમામ પલ્લીવાસીઓને!” સેનાનાયક મહામાત્ય અભયે પ્રચંડ અવાજે કહ્યું: નિકે વેગથી ધસ્યા, પણ એમ પલ્લીવાસીઓ નમતું તેને એવા નહતા. તેઓએ ક્ષણમાત્રમાં પિતાના ગણ્યાગાંઠયા યોદ્ધાઓને બૃહમાં ગોઠવી દીધાઃ ને ભયંકર તીરના ટંકારથી જવાબ આપ્યો. એક તરફ સંપૂર્ણ રીતે સુસજજ ને વિજ્ય પર વિજય કરતા આવતા સૈનિકે ને બીજી તરફ હાથ આવ્યાં તે શસ્ત્ર સજીને મેદાને પડેલા થડાએક પલ્લીવાસીઓ હતા, છતાં નાનું એવું યુદ્ધ પણ મર્દાનગીની કસોટી કરે તેવું બન્યું. બરાબર યુદ્ધ જામ્યું હતું, ત્યાં અચાનક ગિરિકંદરાઓમાંથી હુંકાર કરતું એક જંગલી જાનવર નીકળી આવ્યું. ભયંકર વનપશુ ! પગની મોટી ખરીઓ અને મસ્તકનાં ભારે શિંગડાંથી પૃથ્વીને ખોદતું, ધૂળ ઉડાડતું ને એક વાવંટોળ જમાવતું એ પશુ ક્ષણવારમાં યુદ્ધનું મેદાન વટાવીને બહાર નીકળી ગયું. યોદ્ધાઓનાં શસ્ત્ર ક્ષણવાર થંભી ગયાં ને ક્ષણમાત્રમાં અદશ્ય થતા એ પશુ તરફ આશ્ચર્યની નજર નાખી પુનઃ યુદ્ધ શરૂ કર્યું. પલ્લીવાસીઓ જેવા તેવા વીર નહોતા, તેઓ પ્રાણના ભોગે પણ શ નીચાં ન મૂક્તઃ પણ તેઓનું ધારેલું કાર્ય પૂર્ણ થયું હતું.