________________ 124 મહષિ મેતારજ " નાથ, તમે યોદ્ધા છે, હું માતા છું. માતાની પીંડ તમે ન જાણે ! હું સમજું છું કે આ મોહ છે, પણ માતા છું.” . “સુલસા, મહારાજ બિખ્રિસાર ચેટપુત્રી ચેલ્લણ સાથે ગાંધર્વ વિવાહ કરીને આવી રહ્યા છે. એ વખતે આવી રોકળ કરી અપશુકન થાય ?" “ચેટકપુત્રી ચેલણા? જ્ઞાતપુત્રની પરમ ઉપાસિકા! મગધની મહારાણું બની ! શુભસંદેશ !" “દેવી, એ અર્થે નગરજનોએ ઉત્સવ આદરેલો. ધૂપ, દીપ ને તેરણમાળાઓ તૈયાર કરેલી. પણ પાછળથી આપણું પુત્રના મૃત્યુના સમાચાર મળતાં તેમણે બધું બંધ કરાવ્યું છે.” “બધું બંધ કરાવ્યું છે?” સુલસા ક્ષણવાર વિચારમાં પડી ગઈ “હા, દેવી ! અને મહારાજ મહામાત્ય સાથે સીધા અહીં પધારે છે, અને પછી માતંગને ઘેર જશે. ધન્ય છે માતંગને ! ધન્ય છે મેતાર્યને! ખરે વખતે એમણે આપણી આબરૂ રાખી, તારા બત્રીસ પુત્રો કરતાં નગરજનોની રક્ષા ને નગરધણીની કીર્તિ માટે મરી ફિટનાર એ મેતાર્યને તે યાદ કર !" નાગરથિક ગળગળે સાદે બોલી રહ્યો હતો. મહારાજ હવે પધારતા હશે. હું પાછો ફરું છું.” દેવસૂ નુએ આજ્ઞા માગી. “ખુશીથી પાછો જા ! મહારાજાને કહે છે કે મગધરાજના નામ પર બત્રીસ પુત્રની તે શું, પોતાની જાતની પણ કુરબાની કરવા માટે નાગથિક ને સુલસા તૈયાર છે. ઘણું છે મગધરાજ !" ઘણું છો મગધના મહાજનો!” અચાનક પાછળથી ધીર