________________ પુણ્યપ્રવાસ 137 ઊંડા રહસ્યમાં ઊતર્યો. હિતસ્વીઓ જવાબ ન દઈ શક્યા, પણ તેઓ એટલું બોલ્યાઃ એવું બન્યાના દાખલા આપણે ત્યાં નથી, બલ્ક એવા સંબંધોએ અનેક લાભ કરી આપેલા છે.” આ ચર્ચ આટલેથી અટકતી, પણ કુમાર તે કન્યાનું કહેણ મૂકવા આવનારને શાંતિથી ઉપરને જ જવાબ વાળતા. અર્થ–કામની પ્રાપ્તિ માટે નીકળેલ કુમાર મેતાર્ય આલંભિકા, તાંબિકા, વારાણસી, મિથિલા ને વિશાલા વગેરે પ્રદેશમાં ફરતો ફરતો આગળ વધતે હતો. ત્યાં અચાનક એને કૌશાંબીના રાજા શતાનિકનું તેડું આવ્યું. મોટા અરબી અશ્વ પર આરુઢ થયેલો સંદેશવાહક ઊગતે પ્રભાતે હાજર થયો ને તેણે નમ્રતાપૂર્વક કહ્યું : રાજગૃહીના સર્વશ્રેટ વ્યવહારિકને કૌશાંબી–પતિ મહારાજ શતાનિક અને મહારાણી મૃગાવતી સહર્ષ સાદર આમંત્રે છે.” “કૌશાંબી પતિની સેવામાં અમે સહર્ષ ઉપસ્થિત થઈશું ને એ પળને અમે ધન્ય પળ સમજીશું.” કુમારે જવાબ વાળ્યો. મેતાર્યનો વિકભરેલો પ્રત્યુત્તર સંદેશવાહકે કૌશાંબીપતિને જઈને કહ્યો. બીજે દિવસે વાજતે ગાજતે મેતાર્યનો નગરપ્રવેશ થયે. મહારાજ શતાનિકે આ વિખ્યાત વ્યવહારિકને અત્યંત માન આપ્યું. મેતા પણ અમૂલ્ય મણિ, મોતી ને ધનકનકની ભેટ ધરી. મહારાણી મૃગાવતીએ પણ પિતાના અંતઃપુરમાં આ કુમાર વ્યવહારિકને તેડાવ્યો ને તેની પાસે પિતાની બેન ચેલણાના કુશળ વર્તમાન પ્રથા. “આપ મહારાજ ચેટકનાં પુત્રી ? જ્ઞાતપુત્રનાં ઉપાસિકા ?" “હા, યુવાન વ્યવહારિક, મારી બેન સુથાએ તો વૈરાગ્યભાવ વીકાર્યો. વારુ, રાણી ચેલ્લણ પર મગધરાજનો કેવો ભાવ છે ?"