________________ 142 મહર્ષિ મેતારજ કેટલાય પાદપૂજન કરવા ધસી આવ્યા! પણ કોઈની સામે જરા ય ધ્યાન નહિ! એ રાજમહેલ તરફ આગળ વધ્યો. " નકકી આજ એ રાજમહેલના અતિથિ બનશે !" લેકેએ વિચાર્યું. પણ આ શું ! રાજમહેલ પણ વટાવી ગયા ! બિચારાં રાણી રડી પડ્યાં, છતાં કઈ ન ખસ્યું. ચંપાની માળાઓ અને પારિજાતની ગુલછડીઓ પર સૂરજ નિર્દય રીતે તપવા લાગ્યા; છતાં કઈ ન હાલ્યું. હમણાં પાછા ફરતી વખતે માર્ગ ફુધી એને અન્ન આરોગાવીશું.” સહુએ રાજરાણીને આશ્વાસન આપ્યું. યોગી-સાતપુત્ર તો આગળ જ ચાલ્યા. આગળ જ વધે જાય છે. કૌશામ્બીની મદભરી શેરીઓ વટાવે જ જાય છે. “અરે રે ! આ સત્તા આટલી ભૂંડી કે અમારું અન્ન પણ યોગી ન આવેગે ? હા, હા, અનેક નિર્દોષનાં ખૂનથી તરબતર આ વૈભવ તરફ એ દયાની મૂર્તિ નજર પણ કેમ નાખે !" રાજાએ નિઃશ્વાસ નાખ્યો. આટઆટલા ધનની શી સાર્થકતા ?" શૈશાખીના કટીવૂજે વિચારવા લાગ્યા. “પણ હા, પચાસના રેટલા ઝૂંટવી મેળવેલા દ્રવ્યના સ્પર્શવાળું અન્ન એ કેમ આગે?” હજારે ધર્મશાસ્ત્રોએ જે સ્થિતિનું ભાન નહોતું કરાવ્યું એ આ કલ્યાણમયી દૃષ્ટિએ એક નજરે જ ભાન કરાવ્યું. પણ ચાલ્યા જતા જ્ઞાતપુત્ર એક ઘરને આંગણે થોભ્યા. સૌની નજર ત્યાં ચોટી રહી. જ્ઞાતપુત્ર એ ઘરની પરસાળમાં આવી ઊભા રહ્યા. જુવાન વયની એક દુઃખિયારી બાળા હાથેપગે જડાયેલી