________________ પુણ્યપ્રવાસ 151 તેજસ્વી કાયા મારા સ્મરણપટમાંથી વિસરતાં નથી. નિશ્ચલ શ્રીવત્સવાળી છાતી જાણે મેરુપર્વતને છેદવામાં સમર્થ હોય તેમ ફૂલેલી હતી. કદી ન ભૂલી શકાય, સ્વપ્નમાં પણ જેનું સ્મરણ ચાલ્યા કરે તેવા એ પુરુષપુંગવે છે.” એ મહામાનવીના આહારવિહાર વિષે કંઈ કહેશો ?" મગધરાજે વચ્ચે પ્રશ્ન કર્યો. દેશદેશની સુંદર સ્ત્રીઓના વર્ણનમાં મગ્ન બનેલ રાજવીને જ્ઞાતપુત્ર વિષે પ્રશ્ન કરતા જોઈ પ્રજને પિતાના રસિક રાજવી વિષે અધિક કુતૂહલ જાગ્યું. પરમત્યાગી બુદ્ધના ઉપાસકની આવી જિજ્ઞાસા કેટલાકને નવીન લાગી, પણ પ્રજાને મેટો ભાગ હવે જાણતો થયો હતો, કે રાજા ચેટકની પુત્રી રાણી ચેલ્લણાએ અંતઃપુરમાં આવ્યા પછી મહારાજ પર જાદુ કરવા માંડ્યો હતો. “એ મહામાનવને-પુરુષસિંહને સ્વલ્પ પરિચય પામ્યો એ મારા અલ્પ ભાગ્યની એંધાણી છે : પણ મહારાજ ! ઉપવાસ એ એમનો આહાર છે, ને મૌન એમની વાણી છે. ત્યાગ એ એમને સંદેશ છે. કદી વાચા સૂરે છે, તે સાંભળવાનું અહોભાગ્ય પામનારાં વાત કરે છે કે જાણે કોઈ દિવ્ય ગવૈયાએ માલકોશ રાગ છેડ્યો; એવી મધુરતા લાગે છે. એમના આહારવિહારનું વર્ણન કરતાં જાણે સ્વયં કવિ બની જવાય છે. ઉપમા-ઉપમેય પણ જડતાં નથી. પવન પેરે અપ્રતિબદ્ધ, શરશ્ચંદ્રની જેમ નિર્મળ, કચ્છપની પેરે ઈોિને ગોપવનાર, ખડગી (ગુંડા) ના શંગ જેમ એકાકી, ભારંડ પક્ષીની જેમ અપ્રમત્ત; મહાન હસ્તીની જેમ પરાક્રમી, વૃષભની જેમ સંયભભારના નિર્વાહમાં સમર્થ, સિંહસમ દુધ, મેરુની જેમ દુર્ઘર્ષને સાગરસમ ગંભીર છે.” શ્રેષ્ઠિકુમાર; Wii વિશેષતાથી અમારે જ્ઞાતપુત્રને પિછાણવા, પરિચય કરવા ને સત્કારવા?” વૃદ્ધ નગરજને વચ્ચે પ્રશ્ન કર્યો. " સૂર્યને જેમ સૂર્ય તરીકે પિછાણવા માટે ઓળખાણ આપવાની