________________ 148 મહર્ષિ તારાજ રાણીજી, ગઈ કાલ સુધી ઘડી પહેલાં જ મને પણ એ ભારભૂત લાગતી હતી, પણ આજે તો મારી દૃષ્ટિ આ બાહ્ય જગતને વીંધી આંતર જગતને સ્પર્શી રહી છે. હું તો કોણ માત્ર, આ આખું જગત આનાથી પણ મહાન બેડીઓમાં જકડાયેલું છે. હવેથી એ બેડી તેડીશ. પ્રભુએ મને તારી. મારા મનની હીનતા, દીનતા જાણે આજે ક્યાંય છે જ નહિ! આ સ્થિતિએ પ્રાપ્ત થવાનું મને દુઃખ નથી. અને દુઃખ હોય તે પણ તે પરમ સુખનું નિમિત્ત બન્યું છે. રાજાજી, તમે મારા ઉપકારી છે. પેલે સુભટ ને ઈર્ષ્યાથી બળીને મારી આ દુર્દશા કરનાર ધનાવહ શેઠનાં પત્ની મારાં હિતસ્વી છે. તેઓ નહેત તે પ્રભુનો આવો પ્રસાદ મને ક્યાંથી મળત! મૂડી બાકળામાં તે મેં લંકા લૂંટી!” વસુમતી, નહિ-નહિ ચંદના! એ મૂઠી બાકળા નહોતા, તારું જીવન અમૃત-જીવનસર્વસ્વ હતું. અમારાં તને વંદન છે !" મેતાયે લાગણીભર્યા દિલે ચંદનાને નમસ્કાર કર્યા. નગરજનોએ તેનું અનુકરણ કર્યું. ચંદના–ચરણરજ ચંદના ક્ષણવારમાં પૂજનીય બની ગઈ. એ દહાડે કૌસાંબી ધન્ય બની. મેતાર્યના જીવનની એ ક્ષણે પણ ધન્ય બની. જ્ઞાતપુત્રના પુનર્દર્શન માટે ઉત્સુક બનેલ મેતાર્ય થડા દિવસ ત્યાં રોકાયો, પણ છ માસે મૂઠી બાકુળા લઈને એ મહાન તપસ્વી પાછા ક્યાંયના ક્યાં ય અદ્રશ્ય થયા હતા. હવે દિવસો બહુ થયા હતા. રાજા શતાનિક અને રાણી મૃગાવતીની માયા ભરી રજા લઈ મહાન વૈરાગણ સતી ચંદનાની ચરણરજ માથે ચડાવી, મેતાર્ય પોતાના સાથે સાથે આગળ વધ્યો. આવાં અનેક સંસ્મરણે સાથે પ્રવાસ ખેડીને મેતાર્યકુમાર