________________ 138 મહર્ષિ મેતારજ “કમળ ઉપર ભ્રમર જેવો!” ચતુર મેતાદિ અર્થી વાક્ય કહ્યું: ચલ્લણુને બોલાવવાનું ઘણું ય મન થાય છે, પણ આ રાજકાજ! એમાં કાવતરાં, દગો, વિશ્વાસઘાત ડગલે ને પગલે ભર્યા છે ! મેતાર્યકુમાર, થોડા દિવસો પહેલાં મેં મારી બેન ધારિણીને તેડું મોકલ્યું હતું; પણ પછી ન જાણે શું થયું? ધારિણી તે ન આવી, પણ અમારું સૈન્ય ત્યાં ગયું. ચંપાનગરી રણમાં રોળાઈ. મારી બેનને સૌભાગ્યતિલક ભૂંસાયો, ને બેન-ભાણેજનો કંઈ પત્તો જ નથી!” જર, જમીન ને જેરૂ, ત્રણે કજિયાનાં છોરુ એ શાસ્ત્રની વાત સાચી છે. રાણીજી !" ના, ના. કુમાર મેતાર્યા ત્યાં તું ભૂલે છે. જ્ઞાતપુત્રનું તે કહેવું છે કે કજિયાનું મૂળ માનવી પોતે છે. અરે રે, જ્ઞાતપુત્ર ! " રાણી મૃગાવતીએ પુનઃ લાંબે નિસાસા નાખે. જ્ઞાતપુત્રના પવિત્ર નામ સાથે નિસાસો શા માટે?” “નિસાસે ન નાખું તો શું કરું ! સુધા ને તૃષા, ટાઢ ને તડકો વેઠી કેવો દેહ કરી નાખ્યો છે ! મેતાર્ય, જીવનની તે જાણે પરવા જ નહિ ! મેં ભિક્ષાન્ન આપવા મોકલેલી દાસીઓ હમણું જ આવતી હશે. થેલીવાર થોભો તે વર્તમાન મળશે.” રાજા શતાનિક પણ મહેલમાં આવ્યા. ત્રણે જણા રાજમાર્ગ પર જોઈ રહ્યા. ઢોળાઈ રહી હતી, અને રાજસરોવરનાં પુષ્પો ધીરેધીરે બીડાવા લાગ્યાં હતાં. ઈ રેઈને રાતાં કરેલાં પ્રિયાના નયન સમો સૂર્ય અસ્તાચળ