________________ 122 મહર્ષિ મેતારજ મગધની મહાનારીઓમાં સુસાની ગણતરી થતી હતી. એણે યુવાવસ્થામાંથી જ જ્ઞાતપુત્રને ઉપદેશ સાંભળી તેમને ધર્મ સ્વીકાર્યો હતો. ધન, યૌવન અને આરોગ્ય હોવા છતાં આ દંપતિએ આખું જીવન પર-ઉપકારમાં વિતાવ્યું હતું. બત્રીસ-બત્રીસ પુત્રની જંજાળ વચ્ચે પણ સુલસા જાણે નવરી ને નવરી જ! કેઇને ભીડ પડી કે મદદ પહોંચી જ છે! છેલ્લાં વર્ષોથી તો એણે જૈન શ્રમણ પાસેથી બારવ્રત અંગિકાર કર્યા હતાં. સૌંદર્ય અને શિલથી ઓપતી સુલસાને પેટે જન્મ લેવોઃ એ મગધવાસીઓને મન ગર્વને વિષય હતે. નાગથિકે રાજકાજથી પ્રત્યક્ષ રીતે નિવૃત્તિ લીધા પછી તેના બત્રીસ પુત્ર મહારાજા બિમ્બિસારના અંગરક્ષક તરીકે નિમાયા હતા. એ બધા મહારાજા સાથે વૈશાલી ગયા હતા. સુલસા પિતાના પુત્રોના કુશળ માટે વ્યગ્ર બની રહી. “દેવી, આપના પુત્રોનું મૃત્યુ થયું.” મૃત્યુ!” સુલસાની આંખોમાં જાણે અશ્રુને સાગર ઉલટવા લાગ્યો. કણ કણ મરાયા ! શી રીતે મરાયા?” “યુદ્ધમાં મરાયા, મહારાજાનું રક્ષણ કરતા.” “યુદ્ધમાં મરાયા ને !" વૃદ્ધ નાગ રથિકે ગળું ખંખેરતાં ખંખેરતાં વ્યગ્ર બનેલી સુલસા તરફ જોતાં કહ્યું: “દેવી, આપણું સ્વામીની સેવા કરતાં કરતાં બેચાર પુત્રોએ હસતે મેંએ બલિદાન આપ્યું, એથી રૂડું શું ? આ પામર જીવનની એનાથી વિશેષ સાર્થકતા શી? હું તે શાબાશી આપું છું, એ મારી મૃતસંતતિને !" પણ પણ, મારા દેવ ! લડાઈમાં એક બે નથી હણાયા પણ......” સંદેશવાહકની જીભ લેચા વાળવા લાગી.