________________ પુણ્ય પ્રવાસ [13] બબે માતાઓના સેવાસુશ્રષાના બળે કુમાર મેતાર્ય બહુ જલદી સાજો થઈ ગયો. પણ એની આ માંદગી અનેક અવનવા સંબંધે પિદા કરીને પૂરી થઈ હતી. મહારાજ બિખ્રિસાર અને મહામાત્ય અભય એને પિતાને નજીકના સ્વજન લેખતા થયા હતા. નગરજને પિતાના લધુ વયના આ વીરકુમાર માટે ખૂબ જ સન્માન દાખવતા. પણ સહુથી વધુ ગાઢ સંબંધ તો વિરૂપા અને માતંગ સાથે જોડાયો હતો. એકબીજાને એકબીજાના ત્યાં જવાને સંકોચ રહ્યો નહોતે, ને લેકેને મોઢે પણ ગળણું બંધાયું હતું. માતંગ અનેક ળમાં એક મેટ લાંબે ઘાને ચીરે અમિટ રીતે પડી ગયો હતો. પણ એ ચીરો દૂષણ બનવાને બદલે ભૂષણ બની ચંદ્રની આડ જેવો એના વિશાળ ભાલપ્રદેશમાં શોભતો હતે. અવસ્થાએ ઘેરાતા એના વદનને જાણે એ નવી ખૂમારી આપી જતો હતો. વિરૂપા, માતૃત્વના સ્મરણે ઘેલી બનેલી વિરૂપા, દેવી સુલતાના બત્રીસ પુત્રોના મૃત્યુપ્રસંગના શ્રવણ પછી શાન્ત બની ગઈ હતી. એને લાગવા માંડ્યું હતું કે સુખના ઉદ્ભવ માટે નિઃસ્વાર્થ સ્વાર્પણ જરૂરી છે. કમળને ઉદ્ભવ આપનારી માતા પૃથ્વીએ કાદવ બનવું પડે છે. કાદવ બન્યા વગર કંઈ કમળને જન્માવી શકાય ! માતૃત્વની ઊપ