________________ 96 મહષિ મેતારજ - એ જ! એ જ ! વિરૂપાનો લાલ! કુમાર મેતાર્ય ! એ એષિકુમારે પિતાની ધનદેલત સગે હાથે લૂંટારાઓને સોંપી હતી. સેપતાં સોંપતાં એણે કહ્યું હતું : હાય, સહુને લક્ષ્મીપતિ થવાની ઈચ્છા હોય ! લઈ જા, લેવાય તેટલું લઈ જાઓ! રાજગૃહીની તમારી યાત્રા નિષ્ફળ ન થવી ઘટે. અમે એમ જાણશું કે મગધરાજને આંગણે એક દહાડો વહાણ નહોતાં લાંગ!” ધનદત્ત શેઠના ભંડાર ખુલ્લા મૂક્યા, લૂંટારાઓએ હાથ પડ્યું તેટલું ધન લીધું; પણ એકલા લક્ષ્મીપતિ થવાની એમની ઈચ્છા ન હોય એમ જણાયું. તેઓ તો આટલા કાંચનથી ન ધરાતાં મગધરાજને વૈભવશાળી ને અભેદ્ય રાજમહેલ લૂંટી, અંતઃપુરમાં ખળભળાટ મચાવી મગધની કીર્તિ પણ લૂંટવા માગતા હતા. પણ પ્રત્યેક રાજગૃહીવાસીને મગધરાજની કીર્તિ પિતાના પ્રાણ કરતાં ય વહાલી હતી. કુમારને સેવકે જાણ કરી કે લૂંટારાઓ રાજમહેલ તરફ આગળ વધી રહ્યા છે, કે એણે તરત શસ્ત્રો સજ્યાં. વણિક સ્વભાવને, દયામૂર્તિ લાગત કુમાર એકદમ વીરના સ્વાંગમાં હાકેદા દેવા લાગ્યો. ધનદત્ત શ્રેષ્ટિ વચ્ચે પડ્યા. શેઠાણીએ ખોળો પાથર્યો. પણ કુમાર બધાને હડસેલીને ચાલ્યો ગયો. એણે એકેની વાત ન સાંભળી. જતાં જતાં માત્ર એટલું જ કહ્યું “આપણી આબરૂ અને લક્ષ્મ જીવનભર જાળવનાર ધણીની આબરૂ આમ એની ગેરહાજરીમાં, આપણું નજરે ઘડી બે ઘડીમાં રોળાઈ જાય તો તે જીવવું જ નિરર્થક લાગે ને !" અને રાજમહેલના દ્વાર પર ખરી ઝપાઝપી ચાલી. કાંચનના ઢગલે ઢગલા આપતાં લેશમાત્ર ન થડકનાર, ન દેખાતી એવી કીર્તિ માટે મરવા સજજ થઈને ઊભે. ધનદત્ત શ્રેષ્ટિને કુળને આ એકને એક દીપક આમ હથેળીમાં જીવ લઈને ખૂઝે એ જોઈ સામાન્ય