________________ પ પ vvvv જગતનું ઘેલું પ્રાણ 107 પ્રાય પડ્યો. વિરૂપાની મોટી ચિંતા ટળી ગઈ ને આ વાત સાંભળી એને દ્વિગુણ ઉત્સાહ વ્યાપ્યો. સમી સાંજ થઈ. નગરલોક ધીરે ધીરે ઓસરવા લાગ્યું. રાત પડી અને ધનદત્ત શેઠ, એમનાં પત્ની અને ડાં દાસદાસીઓ સિવાય ત્યાં કેઈ ન રહ્યું. વિરૂપાએ શેઠ અને શેઠાણીને આગ્રહપૂર્વક કહ્યું “બંને ભર ઊંઘમાં છે. હવે તો સવારે જ જાગવાના. આખી રાત અહીં બેઠા બેઠા ગાળવી એના કરતાં હવેલીએ જઈ આરામ. કરે, એ જ ઠીક.” શેઠે વાત કબૂલ કરી પણ શેઠાણીની ઈચ્છા ન હતી. છતાં વિરૂપા માને છે ને! “આજે થાક્યાં પાક્યાં છે ! ઘેર બધું વેરવિખેર પડયું છે. કાલે તમારો વારો.” શેઠને પણ વિરૂપાની સલાહ એગ્ય લાગી. તેમણે એ વાતને અનુમોદન આપ્યું. વહેલી સરે આવી જઈશું. જરૂર પડે તે રાત્રે પણ બેલાવજે!” “ચિંતા નહિ! એમાં મને કહેવું નહિ પડે.” થોડાંએક દાસદાસીઓ મૂકીને એક શિબિકામાં શેઠશેઠાણી ઘર તરફ રવાના થયાં. રાત જામતી ચાલી તેમ તેમ દાસદાસીઓએ પણ જગા મળી ત્યાં શરીર લંબાવી ઊંઘવા માંડ્યું. આખા દિવસની સંતપ્ત રાજગૃહીની ભૂમિ પર ગંગાના જલશીકરોમાં સ્નાન કરીને આવતે, વૈભારગિરિમાળને સુગંધી પવન વીંઝણે વાવા માંડ્યો. નિશાનાથ ચંદ્રદેવ પણ આકાશની એક કેરે ઊગી