________________ 106 મહર્ષિ મેતારજ તમારી ચાલબાજી હવે અમે જાણુ ગયા છીએ! તમારો યત્ન કેલસાની ખાણને સદા કેલસાની ખાણ રાખવાનો છે, રખેને કદાચ એકાદ અમૂલખ હીરો નીકળી એ કોલસાની કીંમત વધારી ન દે, અને જે ખાણમાંથી હીરા નીકળવાની સંભાવના ઓછી બની છે; એનું મૂલ્ય ઘટાડી ન દે! ગુણધર્માનુકૂળ જગત છે. જે કાળો તે કોલસો કહેવાશે; જે પ્રકાશમય હશે તે હીરો કહેવાશે.” અને આવી ચર્ચાઓ ઘણીવાર લાંબી થઈ જતી. નાના એવા છમકલાનું રૂપ ધારણ કરી લેતી : પણ એકાએક વિરૂપા બહાર નીકળી આવતી. એની પાછળ ધનદત્ત શેઠ પણ આવતા અને સહુને વિનવતાઃ “ભાઈઓ ! આ ધર્મસભાનું વિવાદગૃહ નથી. માંદા માણસોનું નિવાસસ્થાન છે. તેમના આરોગ્ય માટે સર્વેએ એમને ખ્યાલ રાખીને આવવું-જવું, બેલવું-ચાલવું જોઈએ.” બેલનારા પિતાના આવેશથી શરમાઈ જતા ને ચૂપ થઈ જતા. ઘવાયેલ માતંગ પડ્યો પડ્યો વીરત્વના ઝનૂનથી હાકોટા દેતે હતો, તે જેમ જેમ એના ઘા કરતા ગયા તેમ તેમ મૂછમાં પડત જતો હતો. એને મૂછ પામતે જોઈ વિરૂપા ગભર ઊઠી, પણ વૈદ્ય અભિપ્રાય આપે કે આ કારી ઘા માટે દર્દીને મૂછની જરૂર છે. કુદરતી રીતે મૂછ આવી રહી છે, તે સારી નિશાની છે. માતંગ જ્યારે મૂછિત થતે જતા હતા, ત્યારે મેતાર્ય ધીરે ધીરે જાગ્રત અવસ્થામાં આવી રહ્યો હતો. એના સ્કધમાં દારુણ વેદના જાગી હતી. હવે એ વેદનાથી થોડી થોડી વારે ચીસ પાડી ઊઠતો. મેતાર્યનાં લક્ષણો પણ સારાં છે, એમ કુશળ વિશે જણાવ્યું; અને બરાબર સાવધાનીથી ઉપચાર જારી રાખવા સૂચવ્યું. બંને દરદી જીવના જોખમમાંથી ઉગરી ગયા છે. એવો એમને સ્પષ્ટ અભિ