________________ મગધનાં મહારત્નો 117 “અલ્યા, વાત કહે છે કે આનાથી તારી પરી ખોખરી કરી નાખું ?" “ના, ભાઈ, ના ! જરા મારે શ્વાસ તે હેઠે બેસવા દો! અરે, કેવી વિચિત્ર વાત..” અને પાછું એણે હસવા માંડ્યું. આ રીતે હસવાનો અંત ક્યારે આવત તેની કલ્પના થઈ શકતી નહોતી, પણ એકાએક એક જણાએ એની ગળચી પકડી ને ધમકાવ્ય “હસવું બંધ કરે છે કે ગળું પીસી દઉં ' ભયને માર્યો શંભુ શાન્ત થઈ ગયો. એણે વાત કહેવી શરૂ કરી “શું કહું તમને! અરે, ભાઈઓ વાત કરતાં કરતાં વચ્ચે મારાથી હસી પડાય તો માફ કરશો.” અને ગળું ઢીલું પડતાં શંભુ ફરીથી હસી પડ્યો. પણ પેલા પુરુષે ફરીથી દબાવતાં એ સાવધ બ ને કહેવા લાગ્યોઃ “વાત એવી બની કે એક તાપસી પાસેથી છબી જોઈને રાજા ચેટકની છઠ્ઠી પુત્રી સુજ્યેષ્ઠાનું હરણ કરવાનો સંકેત રચવામાં આવ્યો હતો. સુચેષ્ઠાએ આપણુ મહારાજા માટે ઘણું ઘણું સાંભળ્યું હતું ને તેમાં તેને મહામાત્ય અભય અને આપણા ગામની કુશળ દેવદત્તાને પ્રસંગ સાંપડતાં એ તે મનથી મહારાજાને વરી ચૂકી. પણ રાજા ચેટકને આ વાત કોણ કરે ! આપણું મહારાજાએ એનું માથું કર્યું ત્યારે પેલો દેઢડાહ્યો કહે કે હૈડેય વંશની કન્યા વાહી કુળના ત્યાં ન હોય! પણ સુષ્ઠાએ કહેવરાવ્યું કે હું તૈયાર છું, મને લઈ જાઓ!” શંભુ જરા થંભ્યો. એની વાતથી બધા શાન્ત પડ્યા હતા ને અજબ ઈંતેજારીથી એના મેં સામે જોઈને બેઠા હતા. “પછી તો મહારાજ ગયા, આપણુ મહામાત્ય ગયા. મહામાય હોય ત્યાં શું બાકી રહે? એમણે ઠેઠ રાજમહેલના અંતભાગ સુધી સુરંગ ખોદાવી. નિયત કરેલા દિવસે મહારાજ રથ લઈને સુરંગના