________________ 98 મહષિ મેતારજ લોહી નીંગળતે પરશુ હત. ઠેકઠેકાણે એ ઘવાયા હતા, પણ વેદનાની એક પણ રેખા એના મુખ પર દેખાતી નહોતી. - “રોહિણેય, માર્ગ છોડતાં પહેલાં તે માતંગને અહીં માટીમાં મળી જવું પડે. તું કોને લૂણહરામ થતાં શિખવે છે?” “માતંગ, આ બધા કેણ? એમને લૂંટવા, હેરાન કરવા, એ તો આપણે કુળધર્મ !" 1. “રોહિણેય, કુળધર્મની વાતો આજે નહિ. પાછા ફરી જા! નગરને લૂંટી તેં તારી બહાદુરી બતાવી છે. હવે આટલેથી સંતોષ ધર ! મગધરાજની કીર્તિ સાથે બાથ ભીડ મા !" “એ બાથ ભીડવા માટે તે વર્ષોથી ચૂપચાપ બેઠો હતો. નગરવાસીઓને લૂંટવામાં શી બહાદુરી કરી બહાદુરી તો હવે બતાવવાની છે. આજે કોઈનું નહિ માનું, માતંગ! માર્ગ મૂકી દે, નહિ તે હમણાં તું વીંધાઈ જઈશ !" માતંગ માર્ગ નહિ મૂકે !" “તો સાવધ થઈ જા! બહાદુરો, આગળ વધો! તમારા પરશુને બેફિકર ઘુમાવો ! રોહિણેય, કાંચનને ભૂખ્યો નથી, પણ કિતિને ભૂખ્યો છે, એ વાત આજે જાહેર થવા દો ! " આ અવાજ ભયકંર હતો. રાજમહેલના ઝરૂખાઓ પર એ પડદા પાડવા લાગ્યો. લૂંટારાઓ ઝનૂનપૂર્વક આગળ ધસી ગયા. માગે ઈષ્ટદેવતાનું સ્મરણ કરી પોતાનો પરશુ ઉઠાવ્યો. મેતાર્યો હિણેયને વીંધવા અસ્વને ચક્રાવે ચડાવ્યો. તુમુલ યુદ્ધ મચી ગયું. મેતાર્ય અને માતંગને ઝૂઝતા જોઈ ભયભીત નગરજનોમાં પણ હામ આવી. મળ્યાં તે શસ્ત્રાસ્ત્ર લઈ સહુ મદદે ધસી આવ્યા.