________________ 46 મહષિ મેતારજ “તે દાદા, આપે મને પ્રતિજ્ઞા ! આપના ચરણને સ્પર્શ કરી અંજલિ જેડું . જીવ અને જાનને સાટે !" બેટા, ભૂલેચૂકે પણ એ જ્ઞાતપુત્રનાં દર્શન કરીશ નહિ. કદાચ દર્શન થઈ જાય તો એને એક પણ શબ્દ શ્રવણ કરીશ નહિ. એનું દર્શન–શ્રવણ આપણને અધોગતિએ લઈ જનારું-ધંધાપો ભૂલાવનારું અને માયાજાળ પ્રસારનારું છે.” “દાદાજી, ઈષ્ટદેવની શાખે, આપની શાખે, આટલા મારા શરીર સાથીદારો અને પલીજનેની શાખે હું પ્રતિજ્ઞા કરું છું કે એ જ્ઞાતપુત્રનાં દર્શન કે શ્રવણ નહીં કરું, બીજા કરતા હશે તે કરતા અટકાવવા યત્ન કરીશ. અને એ રીતે આપે સોંપેલ આ પલ્લી, આ પલ્લીની શોભા અને આપની કીર્તિને ચગુણી વધારીશ.” “શાબાશ રહિણેય, મારી શિક્ષા ફળી. તારે પિતા તે તારા જન્મ પછી તને જોવા લાબો વખત ન આવ્યો. તારી મા પણ ન જીવી. પણ બેટા, આજ મારા જીવને શાન્તિ થઈ. હવે મારો વિદાયને વખત નજીક આવતા જાય છે. સહુને છેલ્લા જુહાર છે ! અને એ વૃદ્ધ તદન શાન્ત થઈ લાંબી સેડ તાણ પડખું ફેરવિીને સૂઈ ગયો. બધાં ચારે તરફ વીંટળાઈ વળ્યાં. વૃદ્ધની એકએક નસ તૂટી રહી હતી. શરીરનું દૈવત ધીરેધીરે ઓછું થઈ રહ્યું હતું. મતની પળ તે મિઠાશની હોય. માતંગને લાગ્યું કે પોતે ઉતાવળ કરી. અને જો આ જુવાન રોહિણેયે વિવેકબુદ્ધિ ને સમયસૂચકતા ન વાપરી હોત તો આજે જ અહીં રણમેદાન જામી ગયું હોત ! માતંગને રોહિણેય તરફ માનબુદ્ધિ જાગતી ચાલી. એ ધીરેથી વૃદ્ધના ખાટલા નજીક ગ. મરતા જીવને શાતા આપવાનો કોઈ માનવધર્મ એને હાકલ કરી રહ્યો હતો. “દાદા, શાન્તિ રાખજે. હવે આ લેકની મમતા છોડી ઈષ્ટ