________________ છ મહર્ષિ તારજ * * * * * “તાપસ લોકેએ આ ધંધો ક્યારથી શરૂ કર્યો?” “યુવાન, વાતનાં મૂળ ઊંડાં છે. આ તે ધર્મકલહનું પરિણામ છે. છબી લાવનાર તાપસી એકવાર રાજા ચેટકના રાજમહાલયમાં ગયેલી. વાતવાતમાં આ બે રાજકુમારિકાઓ સાથે શૌચમૂલક ધર્મ મેટે કે વિનયમૂળ ધર્મ માટે, વિષે વાદવિવાદ ચાલ્યો. રાજકુમારિકાઓએ વિનયમૂળ ધર્મ મહાન સિદ્ધ કરી બિચારી તાપસીને નિરુત્તર કરી. રાજમહેલનાં બીજાં કેટલાંક જનોએ આથી તેની મશ્કરી કરી. પરાભવ પામેલી તાપસી એમનો ધર્મમદ દૂર કરવા અન્ય ધમી સાથે તેમને પરણાવવા સુજેષ્ઠાની સુંદર છબી ચીતરી અત્રે આવી. મહારાજ બિંબિસાર તે એ છબી જોતાં જ મુગ્ધ થઈ ગયા.” “બાપ એવા બેટા! રાજા પ્રસેનજિત ભીલ કન્યા પાછળ મુગ્ધ થયા, ને એમના પુત્ર ચિત્રકન્યા પાછળ ! અભિમાની રાજપદ જ એવું છે.” સાર્થવાહ, નાની નાની વાતમાં ઉશ્કેરાઈ ન જા! માનવ સ્વભાવ જ એવો છે, પછી કાણુ રાય ને કાણુ રંક ! મહારાજ બિંબિસારે સુચેષ્ઠા માટે દૂત મોકલીને માગણી કરી. રાજા ચેટકે કહ્યું “વાહીકુળમાં ઉત્પન્ન થયેલા હૈડેયવંશની કન્યા સાથે ન પરણી શકે. આ લગ્ન અગ્ય છે.” મહારાજ બિંબિસાર આથી અત્યંત ક્રોધાન્વિત થયા, પણ રાજા ચેટકને છંછેડવામાં સાર નહોતો. આખરે અભયકુમારે આ કામ હાથમાં લીધું. વણિકનો વેશ સજી વૈશાલિ ગયા ને સુજેષ્ઠા પાસે મહારાજ બિંબિસારનું રૂપ, ગુણ સુંદર રીતે. વર્ણવી સુષ્માને મેહિત કરી.” “ધન્ય છે તમારા મહામાત્યને! બુદ્ધિને બહાર ઠીક પ્રસંગ વાપરતા જણાય છે.” , “એ બુદ્ધિના ભંડારને તાગ લેવા મારા-તારાથી મુશ્કેલ છે.