________________ હજારમાં એક 77 વહાલો લાગે છે. એની બોલી કેવી મીઠી છે, જાણે તું જ નાની બાળ થઈને બેલતી ન હોય.” “હવે ઘરડો થયો. જરા ડાહ્યો થા ! સ્ત્રીમાં બહુ મન ન રાખીએ.” વિરૂપાએ ટોણો માર્યો. એમાં શું થયું ! શ્રમણો તે કહે છે, કે પરસ્ત્રી માત સમાન માનવી. પોતાની સ્ત્રી માટે તેઓ કંઈ કહેતા નથી. અને જે પોતાની સ્ત્રીમાં મન ન રાખીએ તે પછી આ પરણવાની માથાકૂટ શું કામ! સંસારની બધી સ્ત્રીઓ પુરુષો સામે જોઈને બેસે ને પુરુષો સ્ત્રીઓ સામે, કઈ કઈ એ કઈમાં મન પરોવવું જ નહિ એમજ ને !" તું તે મોટે પંડિત થઈ ગયો લાગે છે. મારે માથાકૂટ નથી કરવી. કોઈ સારું જોયું, કેઈનું સારું સાંભળ્યું કે તને મારી યાદ આવે છે, પણ તેં શેઠાણીને જોયાં નથી ! મેતારજ બરાબર તેમની આકૃતિ છે. આઠમે વર્ષે પાઠશાળાએ મોકલ્યો ને હવે તે અઢાર લિપિઓનો અભ્યાસ આરંભ્યો છે. જુદાં જુદાં શાસ્ત્રોનો પણ અભ્યાસ ચાલે છે. કેઈ આચાર્ય નાટયશાસ્ત્ર, કઈ શિલ્પશાસ્ત્ર, કોઈ સૈનિક- . શાસ્ત્ર, તે કોઈ પાકદર્પણ, માતંગવિદ્યા, મયમત ને સંગીતશાસ્ત્ર શિખવે છે. કુમારની ગ્રહણશક્તિ અદ્ભુત છે. રાજકુમારોની સાથે અશ્વવિદ્યા, હયવશીકરણ અને ધનુર્વિદ્યામાં પણ એ સમકક્ષ છે. વયમાં નાનો પણ મહામાત્ય અભયને એ પ્રીતિપાત્ર બન્યો છે. આખો દિવસ રાજમહેલમાં ને રાજમહેલમાં. મહારાજ બિસ્મિસાર પણ કુમારને જોઈ ભાન ભૂલી જાય છે. મહારાણુ સુનંદા તો એકવાર બોલી ગયેલાં કે હું તે એને મારો જમાઈ બનાવીશ. શેઠ અને શેઠાણી * 1 હંસલિપિ, 2 ભૂતલિપિ, 3 જક્ષીલિપિ, 4 રાક્ષસીલિપિ, 5 ઊકીલિપિ, 6 યાવનીલિપી, 7 તુર્કીલિપિ, 8 કિટી, 9 કવિડી, 10 સિંધવીય 11 માલવિની, 12 નટી, 13 નાગરી, ૧૪લાટ,૧૫ પારસી, 16 અનિમિતી 17 ચાણક્ય, 18 મૂળદેવીલિપિ. [વિશેષાવશ્યકમાંથી]