________________ હજારમાં એક [ 8 ] ગંગાના હૈયા પરની નૌકાઓની આવજાવ અને દેવદત્તાના નૃત્યકારની હેલીઓમાં, ગંગાના જ પ્રવાહથી થોડે દૂર, આંબાવાડિયાના એક છેડે વસતી મનુકુળની પરતિકા–પેલી વિરૂપાને આપણે વર્ષોથી છેક જ વિસારી મૂકી. વિસરાયેલી વિરૂપાનું આંગણું પણ આટઆટલે વર્ષે વિસરાયેલું જ રહ્યું હતું. એના સંસારમાં એ અને માતંગઃ એ સિવાય કોઈ નવીન વ્યક્તિ ઉમેરાઈ નહતી. છતાં ન જાણે આ દંપતીનું રસજીવન નવું જ બનીને વહેતું હતું. ફેર માત્ર એટલો પડ્યો હતો, કે દિવસો જતાં માતંગ શ્રમ પાસેથી કર્મને મહિમા શીખી આવ્યો હતો, અને નમ્ર બન્યો હતે, એ પોતે જ ઘણીવાર કહેતાઃ “અલી વીરુ, ભાગ્યમાં જ સંતાન ન લખ્યાં હોય તે પછી કયાંથી મળે છે એવો સંતાનમેહ શા કામનો !" તો ગાંડ, ગામનાં છોકરાંને શા માટે રમાડે છે, હેત કરે છે, ને તારી વાડીઓમાંથી ફળફૂલ લાવી વહેચે છે!” એમ કરવામાં મારું મન ખૂબ રાજી થાય છે. અને જે તું નારાજ ન થાય તો કહું. મને તે ધનદત્ત શેઠને પેલો મેતારજ ખૂબ