________________ રાજવાર્તા 75 સાર્થવાહ, આ પ્રકરણમાં તો એમની ઊંડી કૂનેહ છે, મહામાત્ય અભય પોતે શ્રમ પાસક છે. તેઓ સમજે છે, કે આવું એકાદ કન્યારત્ન રાજગૃહીના અંતઃપુરમાં વસે તો ઘણું પરિવર્તન થઈ શકે, સંસ્કારની સુંદર સરિતા વહી નીકળે. સાર્થવાહ, ટૂંકી વાત હવે એટલી છે, કે થેડા દિવસમાં હું વૈશાલિ જઈશ, અભયકુમાર પણ ત્યાં આવશે, ચૂનંદુ સૈન્ય પણ ત્યાં હાજર રહેશે, ને તૈયાર થઈ રહેલ સુરંગ વાટે મહારાજ બિસ્મિસાર સુષ્ઠાને ઉપાડી લાવશે.” સુંદર કાર્યમાં નિયુક્ત થઈ છે, દેવદત્તા! વારુ હવે હું વિદાય લઉં. રાત છેક છેડી રહી ગઈ છે. તે મને સુંદર રાજવાર્તા કહી. એ કોઈપણ સ્થાવાર્તા જેવી સુંદર છે. તારો આભાર માનું તેટલો ઓછો છે.” વહેલો ઊગેલો ચંદ્ર હવે ક્ષિતિજ પર હતો, અને આ ચક્રવાક અને ચક્રવાકીની અતિમ મિલનરાત્રીઓમાંની એક રાત્રી પૂરી કરતો હતો મેડી ડી એક નૌકા ગંગાના પટ પરથી સડસડાટ વહી ગઈ