________________ રાજવાર્તા 73 “જબરો જાદુગર !" હા, હા. અસલ જાણે જાદુગર ! મેં જોતાં જ પાપથી ભયભીત બની જઈએ.” “દેવદત્તા, તારી વાચાળતા અજબ છે. આડી અવળી વાતમાં કેટલી રાત વીતી ગઈ, એ તો જો! હું આવ્યો ત્યારે તે આકાશમાં હરણાં ક્ષિતિજ લગભગ હતાં; અને અત્યારે તો જો! અગત્યને તારે ઊગીને આથમી ગયો છે. પેલો વ્યાધ પણ અસ્ત પામ્યા, સ્વાતિ અને ચિત્રા કેવાં ચમકી રહ્યાં છે. મધરાત થઈ ગઈ.” આકાશ પરથી સમય પારખવામાં કુશળ લાગો છો!” દેવદત્તાએ ગગનમંડળના તારાગ્રહો વિષેનું સાર્થવાહનું નૈપુણ્ય જોઈ કહ્યું. માણસનાં નેત્ર પરથી મન પારખવામાં જેમ તમે કુશળ છે તેમ. સહુ સહુનો ધંધો ! સાથે લઈને જતાં અરણ્ય, કંદરા ને વનરાજિઓમાં આકાશ જ અમારું સાથીદાર હોય છે. પણ દેવદત્તા, હવે તારી વાત પૂરી કર ! મહારાજ ચેટકની સાત પુત્રીઓ બહુ વિદુષી છે. કળાભંડાર છે, પછી આગળ ચલાવ...” . “એ સાત પુત્રીઓમાંથી પાંચ પુત્રીઓ તે સ્વયં ઈચ્છિત પતિને પામી છે. પ્રથમ પુત્રી પ્રભાવતી વીતભયનગરના રાજાને પરણું છે, બીજી પદ્માવતી ચંપાનગરીના દધિવાહનને, ત્રીજી મૃગાવતી કૌશંબીના શતાનિકને, ચોથી શિવા ઉજજયિનીના પ્રદ્યોતનને અને પાંચમી પુત્રી નિર્મ્સઠ જ્ઞાતપુત્રના* વડીલબંધુ અને કુંડગ્રામના અધિપતિ રાજા નંદિવર્ધનને પરણી છે, પાંચે મહાસતીઓ છે. છઠ્ઠી સુઠા ને ચેલ્લણા કુમારી છે. શું બંનેની કાંતિ ! એક તાપસી હમણાં સુજ્યેષ્ઠાની છબી લાવેલી."* * બૌદ્ધો પ્રભુ મહાવીરને આ નામે ઓળખતા. :