________________ 84 મહર્ષિ મેતારજ ધીરે ધીરે સંતસ્થાન પર આવી ગયા હતા. મહારાજ બિંબિસારે સર્વને ઉદ્દેશીને કહ્યું: મગધની આશા સમા નવજુવાન ! સાચા પુરુષાર્થને કદી પરાજય નથી, ભાવિ મહાન વિજયની પ્રાથમિક ભૂમિકા છે. કર્મશીલ યોદ્ધાને પરાજય હે જ નથી, મગધને એવા યોદ્ધાઓની જરૂર છે. આજે જીતેલા કે હારેલાઃ તમામ યોહાઓને હું ભેટ આપીશ. તમારી અધૂરી રહેલી રમતે ખુશીથી ને ઉત્સાહથી સમાપ્ત કરો !" મહારાજના આ શબ્દોને માનવમેદનીએ હર્ષના પ્રચંડ નિનાદથી વધાવી લીધા. નિરાશ થયેલા યુવાને પુનઃ ક્રીડાક્ષેત્ર પર આવીને સજ્જ થઈ રહ્યા. આ પછી બીજી શરતને પ્રારંભ થયો. વિવિધ જાતની શરત હતી. એકમાં અને ગેળકુંડાળે નાખી દોડાવવાના હતા. બીજીમાં સળગતી ખાઇઓ પરથી અને કૂદાવી ચાલ્યા જવાનું હતું. ત્રીજમાં દેડતા અશ્વ પર ખડા થઈ, એની પીઠ પર જ શરસંધાન કરી, નિર્ણત કરેલ વૃક્ષ પરના ફળને છેદવાનું હતું. આમ અનેકવિધ રમત રમાઈ ને પૂરી થઈ આખો જનસમુદાય એ જોવામાં મગ્ન હતું. આ મમ્રતામાં બિચારી વિરૂપાને સહુ કઈ ભૂલી ગયું હતું. કેવળ માતંગ એની સેવામાં હાજર હતો. થોડીવારે ભીડમાંથી છૂટવા માટે નાના કોમળ ફૂલને કેઈ ઊચકી લે, એમ વિરૂપાને ઉપાડી માતંગ એક ઘટાદાર વૃક્ષ નીચે લાવ્યો. વિરૂપા હજી બેભાન જ હતી. “રાંડની જાત ખરીને! એમાં વળી જરા અવળચંડી ! જરૂર કેઈની નજર લાગી. હું એને કહેતે જ હતો કે તું બહાર નીકળ