________________ રાજવાર્તા 67 કુકર કહેતાં કોપે ચડિયે, ઘર ઘરજમાઈ થાય; હૈયે હઈયાળી કે કહે, કવણ ભલે બિંહ માંય. મોર ભણે અહ પિંછડાં, મેં મેલિયાં વનેહિ અજિય અગાસી નેહ વિણ, તે સિરિ રાય વહેઈ.” અને કુમારને પત્ર મળ્યો કે એનાથી ન રહેવાયું. એણે પણ ઉત્તર વાળ્ય. જિણે અવસરે જોઈએ, સ્વામી તણે પસાઉ; તિણે નીચે ઉતારણે, કિમ સેવી જે રાઉ. ઘર જમાઈ ઘર સુણહ, તે કુણ હુંશ ધરતી; પણ અપમાન્યા છરડા, ન રહે દૂર ફરતી. જાતે એક જ પિંછડે, મેર દોહિલે કાંઈ; તેહ નવાણું પીંછડાં, ભરી પૂરી રહી આઈ.” બાપે દીકરાનું દિલ પારખ્યું. ખૂબ ખૂબ પ્રેમ કરીને એને બેલા ને રાજગાદી સોંપી. બધા જોઈ રહ્યા. જેમનાથી ન જોવાયું તે ચેડા હાથપગ પછાડી ડાહ્યા થઈ ગયા.” “અને પેલી બાપડી સુનંદાને રઝળતી મેલીને! જોયુંને, આનું નામ પરદેશની પ્રીત ! કરી તેય શું ને ન કરી તે ય શું!” સાર્થવાહે વચ્ચે પ્રસંગ જેઈ દ્વિઅથ વાક્ય કહ્યું, અને ધીરેધીરે નજીક સરી આવતી દેવદત્તાથી દૂર ખસી ગયે. ચતુર દેવદત્તા બૅગ સમજી ગઈ. એણે કહ્યું: પ્રીત કરી એટલે તે નિભાવવામાં જ ભા! સુનંદા સતી સાધ્વી સ્ત્રી હતી. રસિયો પ્રીતમ ગેપાલ પણ કેવલ રસ ભોગી ન હતી. મધુ ચુસીને અલોપ થનાર નગુરો ન હતો. બિસ્મિસાર ગાદીએ બેસવા પાછો ફર્યો ત્યારે * પ્રાચીન રાસસંગ્રહ.