________________ 68 મહર્ષિ તારાજ સુનંદા ગર્ભવતી હતી. એણે પાછળ એક સુંદર સંતાનને જન્મ આપે. દિવસો ગયા ને સુનંદાને ભર્યુંભાયું પિતૃગૃહ પણ ભારે લાગવા માંડ્યું. એ પુત્રને લઈ આ તરફ આવી.” . “વાહરે પ્રીત ! દીકરે નબાપ બને ને માને આખરે ભિખારણ બનવું પડ્યું!” કેણ ભિખારણ! સાર્થવાહ, દેવદત્તાન આવાસમાં છે, એટલે નિશ્ચિંત રહેજેઃ બાકી મગધમાં, રાજગૃહીમાં, અરે, કોઈ વનજંગલમાં પણ આ શબ્દો ઉચ્ચારશે મા ! એ માતા અને પુત્ર એટલે કોણ? જાણ છે? માતા એટલે મહારાજા બિબિસારના અંતઃપુરનાં અધિરાણી અને પુત્ર એટલે?” વાત કરતાં કરતાં જાણે દેવદત્તા નમ્ર થઈ ગઈ. એનાં ચંચળ નયને શાન્ત થઈ ગયાં. એ નામમાં જ કોઈ જાદુ હોય તેમ એ ડીવાર શાંત રહી ને પછી બોલી: એ પુત્ર એટલે ! રોજ પ્રભાતકાળે જેનું પુણ્યનામ મરવા યોગ્ય છે, એ પુરુષ! સુંદરતાને અવતાર! શૌર્યની છબી ! ડહાપણને ભંડાર! કામવિજેતા શિવનું બીજું સ્વરૂપ. ન્યાય, નીતિ ને સત્યને જાણે સાક્ષાત્કાર!” કઈ રસિ વાલમ લાગે છે. એનું નામ કહેને! તારા શબ્દોના અલંકારે ઓછી કર ! એ મને–મારી સ્મૃતિ અને શ્રવણપટને નિરર્થક થાક ચડાવે છે.” એમનું નામ અભયકુમાર ! મગધના એક માત્ર સર્વ સત્તાધીશ મહામાત્ય! મહારાજ બિંબિસારના મુખ્ય મંત્રી ! પિતાના સમગ્ર રાજની, તેને આધીન બીજાં રાષ્ટ્રના ખજાનાની, અન્નભંડારની, સેનાની, વાહનની, પ્રત્યેક નગર તથા ગ્રામની એ વ્યવસ્થા કરે છે. બલ, વીર્ય, પરાક્રમ, પુરુષાર્થ ને વિવેકની એ મૂર્તિ છે. * નાયાધમ્મકહા