________________ 66 મહર્ષિ મેતારજ ઈદ્રદત્તની આંખે ચડ્યો. એમના મોટા વ્યાપારનો ધણધારી બની બેઠે. નસીબ એટલેથી ન અટક્યું. સ્વરૂપમાં રતિ સમાન, શ્રેષ્ઠિપુત્રી સુનદાના હૈયાને હાર પણ બને. અને સુખથી ભોગવિલાસ ભેગવતાં કેટલેય કાળ નિર્ગમન કર્યો " દેવદત્તા પોતાના ધંધાના ખાસ શબ્દો ને અલંકારોને વર્ણનમાં છૂટથી ઉપયોગ કરવા લાગી હતી. “વાહ રે વીરપુરુષ! જ્યાં જાય ત્યાં સ્ત્રી વગર તે એમને ચેન જ પડે નહિ? સ્ત્રી જ જાણે એમના જીવનનું મુખ્ય અંગ !" યુવાન સાર્થવાહ ભંગ કર્યો. શાસ્ત્રમાં જ સ્ત્રીને અર્ધગ કહેલ છે. યુવાન સાર્થપતિ, એ અર્ધગ પાછળ તે તમે પણ કોક દહાડે ગાંડ થશે.” દેવદત્તાએ વ્યંગનો સુંદર જવાબ વાળ્યો, અને સાર્થવાહના પડખામાં દબાવા પાસે જવા સરી. રાત પૂરી થઈ જશે ને વાત અધૂરી રહી જશે. એને રાજગાદી કેમ મળી તે તે કહે! " સાર્થવાહને વાર્તાની અજબ જિજ્ઞાસા હતી. એને વ્યાક્ષેપ જરાપણુ રૂચ નહે. “ભાગ્યવાનના નસીબમાંથી ગમે તેમ કરે તો ય લક્ષ્મી ખસતી નથી.” દેવદત્તાના અવાજમાં સાર્થવાહ તરફ ઈશારો હતો. એણે નયનનૃત્ય કરતાં વાત આગળ ચલાવી. “એક દહાડે વૃદ્ધ પિતા નવ્વાણુ નવ્વાણ પુત્રોથી પણ અસંતુષ્ટ બન્યો. એને વિદેશ ગયેલ પુત્ર યાદ આવ્યો, પણ રાજદૂતે એની કશી ભાળ ન લાવી શક્યા. આ ચિંતામાં ને ચિંતામાં પિતા બીછાને પડ્યો. મૃત્યુની ઘડીએ ગણાવા લાગી. અચાનક કેઈએ સમાચાર આપ્યા. સમાચાર આપનારે યુવરાજ જેવો કોઈ યુવાન દૂર દરિયાકાંઠે નીરખ્યો હતો. પિતાથી તે જવાય એવું નહોતું એટલે યુક્તિ કરી સંકેતથી ભરેલો એક પત્ર લખ્યો ને તેમાં જણાવ્યું