________________ 64 મહષિ મેતારજ દેશદેશથી એણે સુંદરીઓ પરણું લાવી પોતાના અંતઃપુરમાં વસાવી હતી. એના વિશાળ અંતઃપુરમાં ઊડતાં પતંગિયાં જેવી ચંચળ સિંહલની સુંદરીઓ હતી, કાળાં ભમ્મર ઝુલ્ફાંવાળી પારસની પત્નીઓ હતી. ભૂરી આંખેવાળી કમિલ સુંદરી અને ચંદન જેવા શીતળ સ્પર્શવાળી મલયની માનુનીઓ પણ હતી. નાના નાજુક અવયવોવાળી, ચિત્રલેખા શી કે દેશની કામિની અને હાસ્યના કુવારા ઊડાડતી, રકતવાળી સૌરાષ્ટ્ર સુંદરી વસાવી હતી. કુરુ, કુશાવર્ત ને કલિંગ, વિદેહ, વત્સ ને ચેદી દેશની રૂપસુંદરીઓથી અંતઃપુર ભરી નાખ્યું હતું.” દેવદત્તા દેશદેશના પરિચયનું પાંડિત્ય દર્શાવતી હતી. આટઆટલી રાણીઓમાંથી રાજા નવરો ક્યાંથી પડતો હશે! દેવદત્તા, સ્ત્રીઓની આટલી મેહિની !" “જુવાન સાર્થપતિ, હજી તમને કોઈ સાચી સ્ત્રી નથી મળી. સ્ત્રીથી પુરુષ, પુરુષથી સ્ત્રી; જે સદા વાધતું યૌવન હોય તો પરસ્પરની મોહિની સદા વધતી જ રહે છે.” “દેવદત્તા, રાજકથા આગળ ચલાવ!” વિષયાંતર થતે જોઈ સાર્થવાહે વચ્ચે જ વાતને કાપી નાખી. “સાર્થવાહ, આટઆટલી રાણીઓ પણ વીર, ધીર ને વિચક્ષણ રાજા પ્રસેનજિતને જાણે સતિષ ન આપી શકી. વૃદ્ધાવસ્થાને કિનારે બેઠેલા એ વૃદ્ધ રાજવીને મૃગયાની મોજ માણતાં માણતાં એક ઉન્મત્ત યૌવના ભલસુંદરી દષ્ટિપથમાં આવી. અને આવતા સાથે રાજા એના રૂપને શિકાર થઈ ગયે. એક રાત એ ભલસુંદરીના ઝૂંપડામાં રહ્યો ને પ્રેમની ઝંખના લેતે આવ્યું. ભર્યું ભાદયું અંતઃપુર અને સે સે પુત્રો છતાં ય એનું દિલ ઉદાસીન બની ગયું. આ વાત બહાર આવી. પટરાણ ધારિણીના પુત્ર બિંબિસારને